ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડર પ્રકરણમાં 3 ટીમ બનાવી પોલીસ તપાસનો ધમધમાટ, હત્યાનું કારણ હજુ અકબંધ !

મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ

  • શિક્ષક દંપત્તીના મળ્યા હતા મૃતદેહ

  • મકાનમાંથી જ મૃતદેહ મળી આવ્યા

  • પોલીસે 3 ટીમ બનાવી તપાસ શરૂ કરી

  • મૃતકના સાળાએ હત્યા અંગેનો ગુનો નોંધાવ્યો

Advertisment W3.CSS
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસે ત્રણ ટીમ બનાવી હત્યારાઓનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર આઠમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં વાલીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને કંઈક અજુકતું લાગ્યું હતું ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દરવાજો તોડી અંદર જોતા બન્નેના બેડરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.મૃતકના સાળા ભરતસિંહ ગોહિલે હત્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે
આ તરફ પોલીસે ક્રાઈમ બ્રાન્ચ,સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે શિક્ષક દંપતિ વ્યાજે નાણા આપવાનો વ્યવસાય પણ કરતા હતા ત્યારે આ એંગલ પર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.આ ઉપરાંત વાલિયા ટાઉનમાં પોલીસે ધામાં નાખી ડબલ મર્ડરની કડી મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
Read the Next Article

ભરૂચ: કોરોનાના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા, હાલ માત્ર 1 કેસ જ એક્ટિવ

ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા..

New Update
  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો

  • એક દિવસમાં 170 નવા કેસ નોંધાયા

  • ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય

  • અત્યારસુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા

Advertisment W3.CSS
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સામે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજયમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં કોરોનાના  717 એક્ટિવ કેસ છે અને  23 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં સ્થિતિ સામાન્ય જણાય રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટના અત્યાર સુધી 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી હાલ એક કેસ એક્ટિવ છે. જેને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે.
આ તરફ ભરૂચ આરોગ્ય વિભાગ પણ સજજ બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના પોઝિટિવ કેસોની સારવાર કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર અને વેન્ટિલેટરની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.