ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડર પ્રકરણમાં 3 ટીમ બનાવી પોલીસ તપાસનો ધમધમાટ, હત્યાનું કારણ હજુ અકબંધ !

મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ

  • શિક્ષક દંપત્તીના મળ્યા હતા મૃતદેહ

  • મકાનમાંથી જ મૃતદેહ મળી આવ્યા

  • પોલીસે 3 ટીમ બનાવી તપાસ શરૂ કરી

  • મૃતકના સાળાએ હત્યા અંગેનો ગુનો નોંધાવ્યો

Advertisment
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસે ત્રણ ટીમ બનાવી હત્યારાઓનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર આઠમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં વાલીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને કંઈક અજુકતું લાગ્યું હતું ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દરવાજો તોડી અંદર જોતા બન્નેના બેડરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.મૃતકના સાળા ભરતસિંહ ગોહિલે હત્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે
Advertisment
આ તરફ પોલીસે ક્રાઈમ બ્રાન્ચ,સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે શિક્ષક દંપતિ વ્યાજે નાણા આપવાનો વ્યવસાય પણ કરતા હતા ત્યારે આ એંગલ પર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.આ ઉપરાંત વાલિયા ટાઉનમાં પોલીસે ધામાં નાખી ડબલ મર્ડરની કડી મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment