New Update
/connect-gujarat/media/media_files/2025/04/23/bC4PtxAcS0LKoWDFzfOM.jpg)
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
ત્રાસવાદી, અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં ઔધોગિક એકમોમાં ભાડેથી મકાન/દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે ઔધોગિક એકમોમાં રહેતા પરપ્રાંતિય ઇસમોને મકાન/દુકાનો ભાડે આપી તેઓનુ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહી કરતા મકાન/દુકાન માલીકોનું ચેકીંગ હાથ ધરવા આવ્યું હતું. પોલીસની 4 દિવસની ડ્રાઇવ દરમ્યાન મકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૩૪૩ ગુના દાખલ કર્યા છે. સૌથી વધુ ભરૂચ ઓપરેશન ગ્રુપ દ્વારા જાહેરનામા ભંગના 50 ગુના દાખલ કરવામાં આવ્યા છે
Latest Stories