ભરૂચ: મકાન/દુકાનોમાં ભાડુઆત અંગેની નોંધણી ન કરાવનાર 343 ઈસમો સામે પોલીસે જાહેરનામા ભંગના ગુના દાખલ કર્યા

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

New Update
aa

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કલેકટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.

Advertisment
ત્રાસવાદી, અસામાજીક તત્વો મહત્વના શહેરોમાં ઔધોગિક એકમોમાં ભાડેથી મકાન/દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે ઔધોગિક એકમોમાં રહેતા પરપ્રાંતિય ઇસમોને મકાન/દુકાનો ભાડે આપી તેઓનુ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહી કરતા મકાન/દુકાન માલીકોનું ચેકીંગ હાથ ધરવા આવ્યું હતું. પોલીસની 4 દિવસની ડ્રાઇવ દરમ્યાન મકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૩૪૩ ગુના દાખલ કર્યા છે. સૌથી વધુ ભરૂચ ઓપરેશન ગ્રુપ દ્વારા જાહેરનામા ભંગના 50 ગુના દાખલ કરવામાં આવ્યા છે
Advertisment
Latest Stories