ભરૂચ: ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સુપ્રીમ કોર્ટ અનામત અંગેનો નિર્ણય પરત ખેંચે એવી માંગ

ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સુપ્રીમ કોર્ટના અનામત અંગેના નિર્ણય બાબતે આગેવાનોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો

New Update

ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સુપ્રીમ કોર્ટના અનામત અંગેના નિર્ણય બાબતે આગેવાનોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો

Advertisment

સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલેયરની લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવાયો હતો.આગેવાનો દ્વારા આ નિર્ણય રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ ભરૂચમાં બંધના એલાનને કોઈ સમર્થન સાંપડ્યું ન હતું

Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment