ભરૂચ: ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સુપ્રીમ કોર્ટ અનામત અંગેનો નિર્ણય પરત ખેંચે એવી માંગ

ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સુપ્રીમ કોર્ટના અનામત અંગેના નિર્ણય બાબતે આગેવાનોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો

New Update

ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સુપ્રીમ કોર્ટના અનામત અંગેના નિર્ણય બાબતે આગેવાનોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો

સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલેયરની લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવાયો હતો.આગેવાનો દ્વારા આ નિર્ણય રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ ભરૂચમાં બંધના એલાનને કોઈ સમર્થન સાંપડ્યું ન હતું

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.