ભરૂચ: કુલ નવ પૈકી 5 તાલુકામાં વરસાદ, હજુ 2 દિવસ વરસાદની આગાહી

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

rain1
New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ઉકળાટ અને બફરા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લામાં વરસેલા વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો આમોદ,વાગરા,ભરૂચ અને ઝઘડિયામાં 2-2 મી.મી તો અંકલેશ્વર 1. મી.મી.વરસાદ નોંધાયો હતો. રાત્રીના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 22 થી 25 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વાવાઝોડુ સર્જાઈ શકે છે. વાવાઝોડાની ગતિ 100 થી 120 કિમી સુધી રહેવાનું અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો તેની સીધી અસર ગુજરાત પર વર્તાશે. વાવાઝોડાને કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જૂદા જૂદા ભાગમાં વરસાદ પડી શકે છે.

#Bharuch #Rain
Here are a few more articles:
Read the Next Article