New Update
-
ભરૂચના તમામ 9 તાલુકામાં ઉજવણી
-
રવિ કૃષિ મહોત્સવની ઉજવણી
-
ખેડૂતોને સાધન સહાયનું કરાયુ વિતરણ
-
કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન
-
અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા
ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના ઝાડેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ,તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાધેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેકટ, પશુપાલન, મત્સઉદ્યોગ, મિલેટસમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Latest Stories