ભરૂચ: તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી, ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા

New Update
  • ભરૂચના તમામ 9 તાલુકામાં ઉજવણી

  • રવિ કૃષિ મહોત્સવની ઉજવણી

  • ખેડૂતોને સાધન સહાયનું કરાયુ વિતરણ

  • કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન

  • અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા
ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના ઝાડેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ,તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાધેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેકટ, પશુપાલન, મત્સઉદ્યોગ, મિલેટસમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ, હાંસોટમાં 5.52 ઇંચ તો અંકલેશ્વરમાં 3.32 ઇંચ વરસાદ ખાબક્યો

નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો....

New Update
  • ભરૂચ જિલ્લામાં નૈઋત્યનું ચોમાસુ બેઠું

  • જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

  • તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

  • સૌથી વધુ હાંસોટમાં 5.52 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ભરૂચના હાંસોટમાં સૌથી વધુ 5.52 ઇંચ વરસાદ ખાબક્યો હતો તો અંકલેશ્વરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો

ભરૂચ શહેર અને જિલ્લામાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.ભારે ઉકળાટ અને બફારા બાદ પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમગ્ર દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા.જિલ્લામાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5.52 ઇંચ વરસાદ ખાબકયો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

બીજી તરફ ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 2.28 ઇંચ,આમોદ 1.5 ઇંચ,વાગરા 3.52 ઇંચ,ભરૂચ 2.48 ઇંચ,ઝઘડિયા 1.5 ઇંચ,અંકલેશ્વર 3.32 ઇંચ,હાંસોટ 5.52 ઇંચ,વાલિયા 1 ઇંચ,નેત્રંગમાં 12 મી.મી.વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં સરેરાશ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાહ ટાળવા અને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.