ભરૂચ: જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતીમેળો યોજાયો, 37 ઉમેદવારોની કરાય પસંદગી

ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી. જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

New Update
aaa

ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગારઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી. જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળઆમાં ટેલી કોલર, ટ્રેનર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, ઇન્સ્યોરન્સ એડવાઇઝર વગેરેની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયું હતું.
Latest Stories