ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓ દ્વારા વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની પરબ શરૂ કરાય !

રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી

New Update
  • નિવૃત્ત પોલીસકર્મીઓનું સેવાકાર્ય

  • પીવાના પાણીની પરબ શરૂ કરાઇ

  • શ્રમિકો માટે પરબ શરૂ કરાય

  • રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સેવાકાર્યો

  • ગ્રુપ સાથે 185 નિવૃત્ત પોલીસકર્મીઓ છે જોડાયેલા

ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટેમાર્ગુઓને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
જેમાં પાણીના 10-10 જેટલા જગ મુકવામાં આવ્યા છે.રીટાયર્ડ પોલીસ ગ્રુપમાં 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે.
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.