ભરૂચ: ભોલાવ અને ઝાડેશ્વરની સોસા.માં રૂ.56 લાખના ખર્ચે માર્ગોનું નવીનીકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ભોલાવ-ઝાડેશ્વરમાં માર્ગોનું કરાશે નિર્માણ

  • રૂ.56 લાખનો ખર્ચ કરવામાં આવશે

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

  • સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે

ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકૂટીર સોસાયટી તેમજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગ દર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેનો આજરોજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બન્ને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ  પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી  સમિતિના અધ્યક્ષ રમેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબહેન પરમાર,ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે માર્ગોનું નવીનીકરણ થતા તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા નજીક ગૌચરણમાં બનેલા RCC રોડ સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવા સ્થાનિકોની માંગ...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

New Update
  • અંદાડા ગામ નજીક ગૌચરણમાં થયેલા દબાણનો મામલો

  • RCC પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો ઊભા કરાયા

  • સ્થાનિકો સહિત માલધારી સમાજ દ્વારા વિરોધ નોંધાવાયો

  • ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સ્થાનિકોએ માંગ કરી

  • નોટીસની અવગણના કરી બિલ્ડરોની મનમાની : સ્થાનિક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં છેલ્લા ઘણા સમયથી પાકા રસ્તાઓ તેમજ અન્ય દબાણો ઉભા કરવામાં આવ્યા છે. અંદાડા ગ્રામ પંચાયત હસ્તકના સરકારી ગૌચરમાં કેટલાંક બિલ્ડરો દ્વારા પોતે બનાવેલ સોસાયટીમાં જવા-આવવા માટેના પાકા RCC રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીંબિલ્ડરો દ્વારા કેટલાંક અન્ય પ્રકારના દબાણો ઉભા કરી સરકારી ગૌચારણમાં ગેરકાયદેસર કબજા ટક કરી બેઠા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઅંદાડા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા માર્ગને અડીને આવેલ ગૌચરણમાં હાલમાં બની રહેલ પાકા RCC રસ્તાના કામને તાત્કાલિક અસરથી રોકી દેવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નોટીસની અવગણના કરીને બિલ્ડરો દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યું છેત્યારે ગુજરાત સરકારના ગૌચર અધિનિયમ અને જોગવાઈઓને ધ્યાનમાં લઈ અંદાડા ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રમાં આવેલ ગૌચરમાં બિલ્ડરો દ્વારા જેટલા પણ પાકા RCC રસ્તાઓ સહિત દબાણ કરવામાં આવ્યું છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે.