ભરૂચ: ભોલાવ અને ઝાડેશ્વરની સોસા.માં રૂ.56 લાખના ખર્ચે માર્ગોનું નવીનીકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • ભોલાવ-ઝાડેશ્વરમાં માર્ગોનું કરાશે નિર્માણ

  • રૂ.56 લાખનો ખર્ચ કરવામાં આવશે

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

  • સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે

ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકૂટીર સોસાયટી તેમજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગ દર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેનો આજરોજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બન્ને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ  પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી  સમિતિના અધ્યક્ષ રમેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબહેન પરમાર,ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે માર્ગોનું નવીનીકરણ થતા તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.