ભરૂચ: રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાય, 12 ટીમોએ લીધો ભાગ

ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા આયોજન

  • કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય

  • 12 ટીમોએ લીધો ભાગ

  • ફંડમાંથી સામાજિક કાર્યો કરાશે

Advertisment
ભરૂચમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 ઉદ્યોગ એકમોની ટીમો ભાગ લીધો હતો ભરૂચ  રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા  જી.એન.એફ.સી. ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ  સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના 12 ઉદ્યોગ એકમોની ટીમોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે.ફાઈનલ મેચ અને ઇનામ વિતરણ સમારંભમાં  ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જી.એફ.એલ.ના HR હેડ સુનિલ ભટ્ટ અને હિન્દાલ્કોના રાઘવજી ઉપસ્થિત રહ્યા હતા.આ સફળ આયોજન માટે ક્લબ પ્રમુખ મૌનેશ પટેલ સહિત રોટરી ટીમના તમામ સભ્યોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું 
Read the Next Article

ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન, VHPએ સ્થાપનાના 6 દાયકા પૂર્ણ કર્યા

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન

  • સ્થાપના દિવસની ઉજવણી કરાય

  • ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન

  • આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા
વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરમાં શંભુ ડેરી નજીક આવેલ રેવા સેવા સમન્વય  સમિતિ સંઘ કાર્યાલય  ખાતે ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાવન પ્રસંગે 
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ,મુક્તેશ્વર સ્વામી, વાલ્મિકી સમાજ ઘોઘારાવ મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ,વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા છ દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌસંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. 
#Bharuch #CGNews #Foundation Day #VHP #Vishwa Hindu Parishad #Satyanarayana Katha
Latest Stories