ભરૂચ: રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજાય, 12 ટીમોએ લીધો ભાગ

ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા આયોજન

  • કોર્પોરેટ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય

  • 12 ટીમોએ લીધો ભાગ

  • ફંડમાંથી સામાજિક કાર્યો કરાશે

ભરૂચમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 ઉદ્યોગ એકમોની ટીમો ભાગ લીધો હતો ભરૂચ  રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા  જી.એન.એફ.સી. ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠી કોર્પોરેટ વોલીબોલ ટૂર્નામેન્ટ  સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના 12 ઉદ્યોગ એકમોની ટીમોએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગ જગતમાં સૌહાર્દ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. ટૂર્નામેન્ટમાંથી એકત્રિત થનાર રકમથી વિનામૂલ્યે મોતીયા ઓપરેશન, શબ વાહિની સેવા, કૃત્રિમ અંગ વિતરણ તથા મહિલાઓના સશક્તિકરણ જેવા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવશે.ફાઈનલ મેચ અને ઇનામ વિતરણ સમારંભમાં  ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જી.એફ.એલ.ના HR હેડ સુનિલ ભટ્ટ અને હિન્દાલ્કોના રાઘવજી ઉપસ્થિત રહ્યા હતા.આ સફળ આયોજન માટે ક્લબ પ્રમુખ મૌનેશ પટેલ સહિત રોટરી ટીમના તમામ સભ્યોનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું 
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.