ભરૂચ: ઝઘડીયા કોંગ્રેસના પીઢ અગ્રણી દલપતસિંહ વસાવાનું દુઃખદ નિધન

વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ  ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું

New Update
  • ઝઘડિયાના પીઢ કોંગ્રેસનાઅગ્રણીનુંનિધન

  • ઉત્તર પ્રદેશનીહોસ્પિટલમાં લીધાઅંતિમ શ્વાસ

  • રૂમાલપુરા ગામે પાર્થિવદેહને દર્શન માટે લવાયો

  • અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ જોડાયા

  • પરિવારજનોને પાઠવી સાંત્વના

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનાપીઢ કોંગ્રેસીઅગ્રણી દલપતસિંહ વસાવાનું દુઃખદ નિધન થયું હતું,આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમનેશ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી અને પીઢ નેતા એવા દલપતસિંહ વસાવાનું ગતરોજ ટૂંકી માંદગી બાદ નિધન થતા તેઓની અંતિમ યાત્રા આજે નીકળી હતી.જેમાં રાજકીયસામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

કોંગ્રેસનાપીઢ અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું.તેમના પાર્થિવ દેહને વતન ઝઘડીયા તાલુકાના રૂમાલપૂરા ખાતે લાવવામાં આવ્યો હતો.

જ્યાં તેઓના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતીકોંગ્રેસના પીઢ નેતા દલપતસિંહનું નિધન થતાપંથકમાં તેમજ રાજકીય આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.તેઓની અંતિમ યાત્રામાંમોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયાહતા.

Read the Next Article

અંકલેશ્વર : આશીર્વાદરૂપ આયુષ્યમાન વયવંદના સ્કીમ,ભડકોદ્રા ખાતે વડીલોના સન્માન સાથે નોંધણીનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.

New Update
  • વયવંદના સ્કીમ હેઠળ યોજાયો કેમ્પ

  • ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • ભડકોદ્રા ગામ ખાતે કેમ્પનું કરાયું આયોજન

  • વય વંદના કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો

  • 125થી વધુ કાર્ડની કરાય નોંધણી

  • સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઇ શકે છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભારત સરકારે વૃદ્ધો માટે એક ખાસ'શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત 29 ઓક્ટોબર2024ના રોજ થઈ હતી. જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોયજે પણ વડીલની  ઉંમર 70 વર્ષથી વધુ છેતો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત 25 લાખથી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 22,000 લોકોને 40 કરોડથી વધુની સારવાર મળી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.આ સ્કીમ દેશભરની 30 હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે. જેમાં 13 હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ સામેલ છે.

આ હોસ્પિટલોમાં 1961 પ્રકારની અલગ-અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓની સારવાર મફત મળે છે. વધુ ઉંમરના લોકોમાં સામાન્ય રીતે હાર્ટ સર્જરીઘૂંટણ  અથવા થાપામાં દુખાવોમોતિયાનું ઓપરેશન જેવી સમસ્યાઓ થાય છે. આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના જ સંભવ છે.

આયુષ્યમાન વય વંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વય વંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભડકોદ્રા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વય વંદના સ્કીમ હેઠળ નોંધણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીભાજપના આગેવાન એલ.બી.પાંડેમગન પટેલભરત પટેલચંદ્રેશ પટેલ,ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.