ભરૂચ : જરૂરિયાતમંદોની સેવામાં તત્પર રહેતા સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ-ભોલાવનું આમેના પાર્ક ખાતે ઉદ્દઘાટન કરાયું…

ભરૂચ આમેના પાર્ક ખાતે પયગંબર સાહેબના વંશજ હુજુર સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અશરફીયુ જીલાનીના નામે સંચાલીત સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ-ભોલાવ શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

New Update

આમેના પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ-ભોલાવ શાખાનું ઉદ્દઘાટન કરાયું

સૈખૂલ ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોની હંમેશા કરે છે મદદ

ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝગફ્ફર હુસેનની ઉપસ્થિતિ

મોટી સંખ્યામાં મહાનુભાવો-આમંત્રિતો ઉપસ્થિત રહ્યા

ભરૂચ આમેના પાર્ક ખાતે પયગંબર સાહેબના વંશજ હુજુર સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અશરફીયુ જીલાનીના નામે સંચાલીત સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ-ભોલાવ શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશથી રચાયેલ સમગ્ર ભારતમા કાર્યરત પૈકી ભરૂચ-ભોલાવ સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટનું ઉદઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝગફ્ફર હુસેનના હસ્તે કરવામાં આવ્યું હતું. સૈખૂલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરુરીયાતમંદોને સામાજીકશૈક્ષિકઆર્થીકઆરોગ્યરોજગારને લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપત્તીઓમાં પ્રભાવીત લોકોની વ્હારે આવી માનવતાને મહેકાવતા કાર્યો કરે છેત્યારે ટ્રસ્ટ ભોલાવનું ઉદ્દઘાટન કાર્યક્રમ હાફિઝ ઈસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશો અને કાર્યો વિશે મુઝફફર બાપુએ પ્રકાશ પાડ્યો હતોતેમજ સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીએ ટ્રસ્ટના કામોને સાથે મળી આગળ વધારવાની અપીલ કરી હતી. આ પ્રસંગે સૈયદ અશરફી બાપુસૈયદ નઝીમ બાપુમૌલાના ગુલામ હુસેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના વધવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરાયુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ

New Update
IMG-20250714-WA0015

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

IMG-20250707-WA0138

જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.