-
તવરા ગામ મંગલમઠ ખાતે કરવામાં આવ્યું આયોજન
-
તવરા ગામે સંત કબીર જયંતિની ભવ્ય ઉજવણી કરાય
-
મહાઆરતી, મહાપૂજન, મહાપ્રસાદીનું ભવ્ય આયોજન
-
વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા
-
દર્શન, પૂજનનો લ્હાવો લઈ લોકોએ ધન્યતા અનુભવી
ભરૂચ તાલુકાના તવરા ગામ મંગલમઠ ખાતે સંત કબીર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. ભરૂચ તાલુકાના તવરા ગામે પાવન સલીલા માઁ નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ ખાતે આજરોજ સંત કબીર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ તવરા મંગલમઠ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાઆરતી, મહાપૂજન, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ લ્હાવો લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.