ભરૂચના ઝઘડિયાની રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શાળાની મુલાકાતે સંયુક્ત સચિવ સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર એન એચ ગઢવી. આર.સી પ્રજાપતિ સેક્શન ઓફિસર સામાન્ય વહીવટી વિભાગ તથા ચેતન કે પટેલ સી.આર.સી ધારોલી તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ સુનિલ પટેલ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ગાંધીનગરથી પધારેલ મહેમાનના હસ્તે સ્ટેમલેબનું ઉદઘાટન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું