ભરૂચ:શહેરના રણછોડજી મંદિરમાં શરદ પૂનમની કરવામાં આવશે ઉજવણી

રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.

New Update

ભરૂચમાં રણછોડજીના મંદિરે થશે શરદ પૂનમની ઉજવણી 

જુના બજાર સ્થિત છે રણછોડજીનું મંદિર 

શરદ પૂનમ નિમિત્તે યોજાય છે ઉભા ભજન 

દીવા પ્રગટાવીને દીપમાળાનો કરાય છે શણગાર 

ભક્તોને દર્શનનો લ્હાવો લેવા માટે કરાયો અનુરોધ 

ભરૂચ શહેરમાં આવેલા રણછોડજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં આવેલા રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.
તેમજ દીવા પ્રગટાવીને દીપમાળા શણગારવામાં આવે છે.ભરૂચના જૂના બજાર વિસ્તારમાં આવેલ રણછોડરાયજી મંદિરમાં 16 ઓક્ટોબરના દિવસે શરદ પૂનમની ઉજવણી પ્રસંગે ભક્તોને દર્શનનો લ્હાવો લેવા માટે મંદિરના પુજારીએ અનુરોધ કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.