ભરૂચ:શહેરના રણછોડજી મંદિરમાં શરદ પૂનમની કરવામાં આવશે ઉજવણી

રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.

New Update

ભરૂચમાં રણછોડજીના મંદિરે થશે શરદ પૂનમની ઉજવણી 

જુના બજાર સ્થિત છે રણછોડજીનું મંદિર 

શરદ પૂનમ નિમિત્તે યોજાય છે ઉભા ભજન 

દીવા પ્રગટાવીને દીપમાળાનો કરાય છે શણગાર 

ભક્તોને દર્શનનો લ્હાવો લેવા માટે કરાયો અનુરોધ 

ભરૂચ શહેરમાં આવેલા રણછોડજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં આવેલા રણછોડજીનાં મંદિરમાં શરદ પૂનમની ઉજવણી કરવામાં આવશે.ભરૂચ શહેરમાં આ એક માત્ર જગ્યા છે જ્યાં ભક્તો ઉભા રહીને એટલે કે ઉભા ભજન કરીને ભગવાન રણછોડજીની આરાધના કરે છે.
તેમજ દીવા પ્રગટાવીને દીપમાળા શણગારવામાં આવે છે.ભરૂચના જૂના બજાર વિસ્તારમાં આવેલ રણછોડરાયજી મંદિરમાં 16 ઓક્ટોબરના દિવસે શરદ પૂનમની ઉજવણી પ્રસંગે ભક્તોને દર્શનનો લ્હાવો લેવા માટે મંદિરના પુજારીએ અનુરોધ કર્યો હતો.
Read the Next Article

ભરૂચ: અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્રીજીની આગમન યાત્રાનું આયોજન

  • ડી.જે.ના નાદ સાથે વિધ્નહર્તાને આવકાર

  • મોટી સંખ્યમાં શ્રદ્ધાળુઓ જોડાયા

ભરૂચના અંબિકા યંગસ્ટર ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગણેશ આયોજકો દ્વારા શ્રીજીની આગમન યાત્રાનો આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચના અંબિકા યંગસ્ટર્સ ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય અને અલૌકિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રવણ ચોકડીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા શક્તિનાથ સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી. સમગ્ર માર્ગ પર ભક્તિનો માહોલ છવાયો હતો, ભક્તો ઉત્સાહભેર ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જોડાયા. રંગીન લાઇટિંગ, સુશોભિત રથ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ સમગ્ર શોભાયાત્રાને અદભુત અને યાદગાર બનાવી દીધી.