ભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા શુકલતીર્થ આરોગ્ય કેન્દ્રમાં મેડીકલના અત્યાધુનિક સાધનો અર્પણ કરાયા

અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો

New Update
Adani Foundation
ભરૂચના ઐતિહાસિક ગામ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સશક્ત કરવાનું કાર્ય અદાણી ફાઉન્ડેશનના સહકારથી નવરાત્રિના દિવસોમાં થયું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા HBA1C એનેલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટર અને સેમી ઓટો બાયો કેમેસ્ટ્રી મશીન જેવા રોગના નિદાન માટે જરૂરી સાધનનો સહયોગ આપવામાં આવ્યો છે. આ મશીન એવું છે કે એના દ્વારા ૯૮ પ્રકારના લોહી રિપોર્ટ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરી શકાશે.
Adani Foundation
આ સુવિધા અહી મળવાથી હવે શુકલતીર્થ કે આસપાસના દર્દીને ભરૂચ સુધી જવાની જરૂર નહીં પડે અને ઘર નજીક નિઃશુલ્ક તપાસ થઈ શકશે.મશીનરીના અભાવે દર્દીઓ લોહીના રિપોર્ટ માટે ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો. એ માટે સ્થાનિક આગેવાનો અને આરોગ્ય વિભાગ તરફથી એક વિનંતી અદાણી ફાઉન્ડેશનને મળી હતી જેના ભાગરૂપે આ સેવા કાર્ય કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સીએસઆર હેડ પંક્તિ શાહ, ભરુચ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સુનિલસિંહ, વાગરા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.પ્રવીણસિંહ, અદાણી ફાઉન્ડેશન દહેજના સીએસઆર હેડ ઉષા મિશ્રા, મેડિકલ ઓફિસર ડૉ.સીમા મગરવાળા, એએમઓ ડૉ.હેતલ ચૌહાણ, શુકલતીર્થ ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા
Read the Next Article

ભરૂચ : બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટરની અધ્યક્ષતામાં ઝારેશ્વર અનુભૂતિધામ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાય…

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ ખાતે કરાયું આયોજન

  • નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

  • જન્માષ્ટમી પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ હાજરી

  • મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ તેમજ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરાયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા આજરોજ દેશ-વિદેશમાં બ્રહ્માકુમારીઝ દ્વારા લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે જ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભાદીદીની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે મટકી ફોડરાસ-ગરબા નૃત્ય નાટક સહિતના વિવિધ કાર્યોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories