ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા સ્વરછતા હી સેવા અભિયાનનો પ્રારંભ

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો શુભારંભ

New Update
સ્વરછતા હી સેવા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ
ભરૂચમાં વહીવટી તંત્ર દ્વારા યોજાયો કાર્યક્રમ
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરાયો
કલેકટર તુષાર સુમેરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત
2જી ઓક્ટોબર સુધી યોજાશે કાર્યક્રમો
ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો.
૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે આજરોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ સ્થિત જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી ભરૂચ જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા,સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી ધ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ સાથે વેસ્ટ સેગ્રીગેશન અને કોમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદધાટન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સફાઇ શ્રમદાન સહિત શપથ ગ્રહણ કરાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા,આર.ડી.સી.એન.આર.ધાંધલ,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતીકા પટેલ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ આમંત્રિતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.