ભરૂચ: વાલીયામાં વાછરડીનું મારણ કરનાર ખૂંખાર દીપડો પાંજરે પુરાયો, ખેડૂતોએ અનુભવ્યો હાશકારો

તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી  બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી.

New Update
  • ભરૂચના વાલિયાનો બનાવ

  • કદાવર દીપડો પાંજરે પુરાયો

  • વન વિભાગ દ્વારા ગોઠવાયું હતું પાંજરૂ

  • દીપડાએ વાછરડીનો કર્યો હતો શિકાર

  • ખેડૂતોએ હાશકારો અનુભવ્યો

ભરૂચ વાલિયા ગામની સીમમાં વાછરડીનું મારણ કરનાર કદાવર દીપડો આજે વહેલી સવારે પાંજરે પુરાતા ખેડૂતો સહિત પશુ પાલકોએ રાહતનો શ્વાસ લીધો.
ભરૂચના વાલિયા ગામની સીમમાં અવારનવાર દીપડો દેખાતા લોકો ભયભીત બન્યા હતા.ગત તારીખ-27મી એપ્રિલના રોજ વાલિયા ગામની સીમમાં અમરસિંહ વસાવાના 12 પૈકી  બે વાછરડીઓને દીપડાએ શિકાર બનાવી હતી.આ અંગે પશુ પાલકે વન વિભાગની કચેરી જાણ કરતા વન વિભાગના આર.એફ.ઓ. મહિપાલસિંહ ગોહિલના માર્ગ દર્શન હેઠળ વન સંરક્ષક દિનેશ એસ.રાઠવાએ  ટીમ સાથે સ્થળ પર પહોંચી મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું.જે પાંજરામાં આજરોજ વહેલી સવારે અંદાજીત 60થી  70 કિલો વજનનો 5થી 6 વર્ષનો કદાવર નર દીપડો પુરાયો હતો.દીપડાને વેટરનરી તબીબ પાસે તબીબી નિરીક્ષણ અને ઉપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.