ભરૂચ : જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાથી સામાન્ય લોકોની મુશ્કેલી વધી, હવે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો

અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો તાત્કાલિક અસરથી વધારો કર્યા બાદ હવે મોંઘવારીનો ભરડો વધુ ઉગ્ર બન્યો છે ત્યારે રોજબરોજની વસ્તુના ભાવ નિયંત્રણ માટેની ઉઠી માંગ  

New Update
  • જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવમાં વધારો

  • અમૂલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો

  • પ્રતિ લીટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો

  • મધ્યમ અને ગરીબ લોકોની મુશ્કેલીમાં વધારો

  • રોજબરોજની વસ્તુના ભાવ નિયંત્રણ માટેની ઉઠી માંગ  

શ્વેત ક્રાંતિને ઉજાગર કરતી અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો તાત્કાલિક અસરથી વધારો કર્યા બાદ હવે મોંઘવારીનો ભરડો વધુ ઉગ્ર બન્યો છે. હાલના સમયમાં શાકભાજીખાદ્ય તેલ અને દાળ સહિતની નિત્ય વસ્તુઓના ભાવમાં પણ સતત વધારો જોવાઈ રહ્યો છેજેને કારણે સામાન્ય જનતાનું ઘરેલુ બજેટ તૂટતી કગાર પર પહોંચી ગયું હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં મોંઘવારીનો ગ્રાફ સતત વધી રહ્યો છે,ખાસ કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં છાશવારે વધારાથી મધ્યમ વર્ગીય પરિવારો માટે ઘર વ્યવસ્થાનું માળખું ડગમગી ગયું છે. શાકભાજી,અનાજ,કઠોળ,દાળ સહિતની ખાદ્ય પદાર્થોના ભાવ પણ હાલમાં વધુ હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે ખાદ્ય તેલનાં ભાવ પણ તેજીથી વધી રહ્યા છે,ત્યારે અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2નો વધારો તાત્કાલિક અસરથી ઝીંકાતા ગૃહીણોમાં આ મુદ્દે નારાજગી જોવા મળી છે.અને સરકાર પાસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવને નિયંત્રણમાં લાવવા માટેની માંગ કરી હતી. 

ભરૂચમાં ચા વેચનાર અને રોજબરોજ દૂધનો ઉપયોગ કરતા લોકો ઉપર અમૂલ દૂધના ભાવ વધારાની સીધી અસર થઈ છે.બીજી તરફશાકભાજી અને તેલના ભાવ વધી જતા રોજની રસોઈ પણ મધ્યમ અને ગરીબ વર્ગ માટે મોંઘી પડી રહી છે.લોકો સરકાર પાસેથી માંગ કરી રહ્યા છે કે વારંવાર થતા ભાવ વધારા પર નિયંત્રણ લાવવામાં આવે.

વેપારીઓ કહે છે કે આ ભાવ વધારો હોલસેલ બજારમાંથી શરૂ થાય છે,અને રિટેલ સુધીમાં ગ્રાહકને મોટો ભાર સહન કરવો પડે છે.જનતાની માંગ છે કે સરકાર પાસે કિંમતો નિયંત્રિત કરવા માટે મશીનરી છેછતાં નિયમિત વાટાઘાટો કે પગલા જોવા મળતા નથી.આ મોંઘવારીના માહોલ વચ્ચે રોજિંદા જીવન ચલાવવું સામાન્ય માનવી માટે મોટો પડકાર બની રહ્યો છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.