ભરૂચ: મહેતા પરિવાર દ્વારા સેવા યજ્ઞ સમિતિને અંતિમ યાત્રા વાહિની અર્પણ કરવામાં આવી

અંતિમ યાત્રા વાહિની ભરૂચમાં વસતા શોભાબેન મહેતા અને યોગેશ મહેતા દ્વારા સ્વ.મધુબેન એ મહેતા અને સ્વ.અમરતલાલ પી.મહેતાના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવી

New Update
  • ભરૂચમાં કાર્યરત છે સેવાયજ્ઞ સમિતિ

  • સેવા યજ્ઞ સમિતિને અંતિમયાત્રા વાહીની અર્પણ કરાય

  • મહેતા પરિવાર દ્વારા કરાયુ સેવાકાર્ય

  • વિના મૂલ્યે સેવા આપવામાં આવશે

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચના મહેતા પરિવાર દ્વારા પિતૃઓના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અંતિમ યાત્રા વાહિની અર્પણ કરવામાં આવી હતી. ભરૂચની જનતાને ઉપયોગી થાય તેવી નાની ગલીઓમાં જઈ શકે તેવી અંતિમ યાત્રા વાહિની ભરૂચમાં વસતા શોભાબેન મહેતા અને યોગેશ મહેતા દ્વારા સ્વ.મધુબેન એ મહેતા અને સ્વ.અમરતલાલ પી.મહેતાના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવી હતી.
સેવા યજ્ઞ સમિતિ વિના મુલ્યે આ અંતિમ વાહિનીની સેવા પૂરી પાડશે.આ અર્પણ કાર્યક્રમમાં યોગેશ મહેતા અને શોભાબેન મહેતા અને પરિવારજનો તેમજ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

અંકલેશ્વર: ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

New Update
bolld

અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વખતે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાઓને આયુષ બ્લડ બેન્કના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરત તે દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન એ જ મહાદનને સાર્થક કરવા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્રો પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ઉત્સાહભેર જોડાઈ છે