ભરૂચ: વાલિયા ખાતે નવ નિર્મિત APMCના નવા ભવનનું લોકાર્પણ કરાયુ

ભરૂચના વાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં યોજાયો કાર્યક્રમ

  • APMCના નવા ભવનનું લોકાર્પણ કરાયુ

  • લોકાર્પણ સમારોહમાં આગેવાનોએ આપી હાજરી

  • ભવનથી ખેડૂતોની થશે આર્થિક વૃદ્ધિ

  • મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા ઉપસ્થિત 

Advertisment
ભરૂચના વાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના વાલીયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા,ભજપના આગેવાન બળવંતસિંહ ગોહિલ,ભારતસિંહ પરમાર,માર્કેટિંગ યાર્ડના ચેરમેન યોગેશસિંહ મહિડા સહિતના આગેવાનો નેત્રંગ અને વાલીયા તાલુકાના મંડળીના ચેરમેનો અને ડિરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ હજારો ખેડૂતોએ ઉમટેલા હતા.આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દરવાજા ખોલવાનો મોટો અવસર બની રહેશે એવો આશાવાદ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.
Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment