ભરૂચ: રેલવે ગોદીથી આશ્રય સોસાયટી તરફનો માર્ગ અતિ બિસ્માર, તાત્કાલિક સમારકામની માંગ

ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે ત્યારે માર્ગના તાત્કાલિક સમારકામની માંગ

New Update
  • ભરૂચમાં માર્ગની બિસ્માર હાલત

  • રેલવે ગોદીથી આશ્રય સોસા.ને જોડતો માર્ગ બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે સ્થાનિકો પરેશાન

  • અકસ્માતોનું જોખમ વધ્યુ

  • માર્ગના તાત્કાલિક સમારકામની માંગ

ભરૂચના રેલવે ગોદીથી આશ્રય સોસાયટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. માર્ગ પર ખાડાઓ પડેલા હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 
સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ રીક્ષા પલટી જવાની પણ શક્યતા રહી છે. હાલ ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે.વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે માંગ કરી છે કે રોડ પર તાત્કાલિક કેમ્પર નાખી પેચ વર્ક કરવામાં આવે અને મોટા ખાડાઓને પુરવામાં આવે જેથી લોકોને રાહત મળે.આ સાથે વાહનચાલકો અને સ્થાનિક રહીશો પણ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યાં છે.
Read the Next Article

ભરૂચ: વાલિયા SBI બ્રાન્ચના પૂર્વ મેનેજરની પોલીસે કરી ધરપકડ, રૂ.21.57 લાખની ઉચાપત અંગે નોંધાય હતી ફરિયાદ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..

New Update
SBI Branch Manager
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ મેનેજર દ્વારા જ ખાતેદારોના રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે હાલના બ્રાન્ચ મેનેજર શૈલેન્દ્ર કરવાએ વાલિયા પોલીસ મથકમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પૂર્વ મેનેજરે ખાતેદારોની સંમતિ વગર ખોટી સહી, ઇમેલ અને ખોટા વાઉચર બનાવી ખાતેદારોના ખાતામાંથી રૂપિયા 93.58 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા ત્યારબાદ 72 લાખ સમયાંતરે પરત ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે રૂપિયા 21.57 લાખની ઉચાપત કરવામાં આવી હતી.વાલિયા પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.