ભરૂચ: શ્વેત ક્રાંતિના પ્રણેતા મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડો.કુરિયનનો આજે જન્મદિવસ

શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે

New Update
  • શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.કુરીયનનો આજે જન્મદિવસ

  • ભારતનો વિશ્વમાં શ્વેતક્રાંતિ ક્ષેત્રે વાગ્યો છે ડંકો

  • ભરૂચ દૂધધારા ડેરી દ્વારા ડો.કુરીયન પ્રત્યે વ્યક્ત કરી કૃતજ્ઞતા

  • દૂધ ક્રાંતિએ પશુપાલકોનું જીવનધોરણ બદલ્યું

  • દૂધની ક્રાંતિએ પશુપાલકોને આર્થિક રીતે પગભર બનાવ્યા   

Advertisment

 ભારતનો વિશ્વ ક્ષેત્રે શ્વેત ક્રાંતિમાં ડંકો વગાડનાર ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ,આજના આ મિલ્ક ડે નિમિતે ભરૂચ દુધધારા ડેરી દ્વારા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. મિલ્ક મેન ઓફ ઇન્ડિયા,ફાધર ઓફ વ્હાઈટ રિવોલ્યુશન અને  શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે,તેમના જન્મદિનને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે.વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે.

અને ખેડૂતો અને પશુપાલકો તેના થકી એક સારો આવકનો સ્ત્રોત ઉભો કરી શક્યા છે.ત્યારે આજના આ અવસર નિમિત્તે ભરૂચ દુધધારા ડેરી દ્વારા પણ ડો.વર્ગીસ કુરિયન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.અને દુધધારા ડેરીના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ડો.કુરિયનના પ્રયત્નો થકી શ્વેત ક્રાંતિનું નિર્માણ થયું હતું.

અને આજે તેમના આ પ્રયત્નોના ફળસ્વરૂપે પશુપાલકો આર્થિક રીતે સુખી બન્યા છે,ભરૂચ નર્મદા જિલ્લામાં પણ પશુપાલકો આર્થિક રીતે પગભર થયા અને તેમના બાળકોનું યોગ્ય શિક્ષણ,સહિત પરિવારનું યોગ્ય રીતે પાલન પોષણ પણ દૂધ અને દૂધ  ક્રાંતિના લીધે જ શક્ય બન્યું છે.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: ભડકોદ્રાની ક્રિષ્નાપાર્ક સોસા.ના મકાનમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો !

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

New Update
  • અંકલેશ્વરના ભડકોદ્રા ગામનો બનાવ

  • ક્રિષ્નાપાર્ક સોસા.માંથી મળ્યો મૃતદેહ

  • મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

  • જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

  • આપઘાત કર્યો હોવાનું અનુમાન

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો ધર્મેશ પંચાલ નામનો યુવાન  શુક્રવારથી  ઘરની બહાર નજરે નહીં પડતા સ્થનિકોએ તેના મોટાભાઈને જાણ કરી હતી.તેના ભાઈએ સ્થળ પર દોડી આવી બારીનો કાચ તોડી અંદર જોતા યુવાન બેડ પર બેશુદ્ધ નજરે પડ્યો હતો.આ અંગે પોલીસને જાણ કરાતા જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે જીઆઈડીસી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Advertisment