ભરૂચ: આજે વિશ્વ સિકલસેલ દિવસ, રોગને વધુ ફેલાતો અટકાવવા એક તબીબ 15 વર્ષથી ચલાવે છે જનજાગૃતિ અહેવાલ

આજે વિશ્વ સિકલએક દિવસ આ રોગમાં વ્યકિતના લોહીનો આકાર ગોળાકારમાંથી દાતરડા આકારમાં થઈ જાય છે.જેથી આ રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે

New Update
IMG-20250619-WA0116

આજે વિશ્વ સિકલએક દિવસ આ રોગમાં વ્યકિતના લોહીનો આકાર ગોળાકારમાંથી દાતરડા આકારમાં થઈ જાય છે.જેથી આ રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે.

ગુજરાતના ખાસ કરીને પૂર્વીય વિસ્તારમાં એટલે કે આદિવાસી સમાજના લોકોમાં સિકલસેલ એનિમિયા નામનો ગંભીર કહી શકાય તેવો રોગ જોવા મળે છે.જેમાં દર્દીના લોહીનો આકાર ગોળાકારના બદલે દાતરડા જેવો થઈ જાય છે.જેના કારણે દર્દીને અચાનક અસહ્ય પીડા ઉપડે છે અને લાંબી માંદગી બાદ તેનું મૃત્યુ પણ નીપજે છે.જોકે ગંભીર બાબત તો એ છે કે આ રોગ પેઢી દર પેઢી પ્રસરે છે.જેથી આ રોગને કાબુમાં લાવવા જન જાગૃતિ ખૂબ જ આવશ્યક થઈ પડે છે.

IMG-20250619-WA0117

ભરૂચમાં રહેતા ડૉ.ડેકસ્ટર ડી.પટેલે તેમની ડોક્ટર બહેનને  સીકલસેલ રોગના કારણે ગુમાવવી પડી હતી અને તેના કારણે તેમનું આખું જીવન લોક સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય લઈને સિકલસેલને અટકાવવા માટે સિકલસેલ અવરનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છેલ્લા 15 વર્ષ ઉપરાંતથી લોક સેવા કરી રહ્યા છે.તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોમાં જાગૃતિ લાવવા તેમને દવાઓ,લોહી ટેસ્ટ, મેડિકલ કેમ્પ સુધીની સારવાર નિઃશુલ્ક કરી રહ્યા છે.આ અંગે ડૉ.ડેક્ષ્ટરે જણાવ્યું હતું કે,રોગને અટકાવવા માટે જે રીતે લગ્નની કુંડળી મેળવીને લગ્ન કરાય છે તે રીતે બંનેના સિકલ સેલ ટેસ્ટ બાદ જ લગ્ન કરવાથી આ રોગને અટકાવી શકાય છે.
આજરોજ વિશ્વ સિકલસેલ દિવસ નિમિત્તે ડૉ.પટેલે પુનઃ એજ અપીલ કરી છે કે સમાજમાં જનજાગૃતિ લાવવી સૌથી મોટું કામ છે. આજે આપણે બધાએ મળીને સંકલ્પ કરવો પડશે કે કોઈ પણ યુવાન યુવતીના લગ્ન પહેલાં બંનેનું સિકલસેલ ટેસ્ટ કરાવવું ફરજીયાત બનાવશું.
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે