New Update
ભરૂચ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસવડા ની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,ભરૂચ વિભાગ પોલીસવડા સી.કે.પટેલ વનધારા સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories