ભોલાવ ST ડેપો ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપાણ કરાયુ

ભરૂચ | Featured | સમાચાર , સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ ડેપો

New Update
ભરૂચના ભોલાવ એસ.ટી.ડેપોમાં ઉજવણી
એક પેડ માં કે નામ અભિયાનની ઉજવણી
વૃક્ષારોપાણના કાર્યક્રમનું આયોજન
એસ.ટી.કર્મચારીઓ જોડાયા
આવનારા દિવસોમાં શ્રમદાનના કાર્યક્રમો પણ યોજાશે
ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ ડેપો અને ૧૨૫ વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાઇઝિંનીંગ અધિકારી જે. એચ.સોલંકી અને ડિવિઝન ક્ટ્રોલર આર.પી શ્રીમાળીયા તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક વૃક્ષ માતાને નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે ભરૂચ વિભાગના પાંચ ડેપો અને વર્કશોપ ખાતે શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે.
Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.