ભરૂચ:પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે આદિવાસી સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.

New Update
  • અખંડ આદિવાસી સંગઠન દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સરકારી આવાસની ફાળવણી મુદ્દે કરાય રજુઆત

  • આવાસની ફાળવણીમાં ગોબાચારીના આક્ષેપ

  • સમગ્ર મામલે તપાસની માંગ

Advertisment
અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચના પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે  કલકેટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે.જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે.
આવાસ ફાળવણી માટે રજુઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બેથી ત્રણ પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે.આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિન જરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના 6 આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કર્યો હતો ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

Advertisment

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ 30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7 કલાકથી બપોરેના 1 કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના 7 કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ 31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.

Advertisment