ભરૂચ:પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે આદિવાસી સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે.

New Update
  • અખંડ આદિવાસી સંગઠન દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સરકારી આવાસની ફાળવણી મુદ્દે કરાય રજુઆત

  • આવાસની ફાળવણીમાં ગોબાચારીના આક્ષેપ

  • સમગ્ર મામલે તપાસની માંગ

અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા ભરૂચના પગુથણ ગામે સરકારી આવાસ ફાળવણી મુદ્દે  કલકેટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખંડ આદિવાસી યુવા સંગઠન દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પગુથણ ગામમાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. ગ્રામ પંચાયત કચેરી દ્વારા સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રહેણાંક હેતુસર આવાસ ફાળવવામાં આવે છે.જે માટે અનેકવાર ફોર્મ ભરેલ છે.
આવાસ ફાળવણી માટે રજુઆત પણ કરી હતી પરંતુ આદિવાસી સમાજના લોકોને આવાસ નહીં ફાળવવામાં આવતા બેથી ત્રણ પરિવારોએ ભેગા રહેવાની નોબત આવી છે.આદિવાસી સમાજના લોકો સાથે ભેદભાવ રાખવા સાથે ગ્રામ પંચાયત દ્વારા બિન જરૂરી અને પૈસાદાર લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.સાથે ફાળવેલ આવાસ ભાડે આપી દેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ખોટા વ્યક્તિઓને આવાસ યોજનાનો લાભ આપવા સહિત એક સભ્યને કોઠી ફળિયામાં પોતાના કુટુંબના 6 આવાસો ફાળવી દીધા હોવાના આક્ષેપ કર્યો હતો ત્યારે આ આવાસ ફાળવણીમાં ગોબચારી કરવા મામલે તપાસ કરવા સાથે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.