ભરૂચ: ખરચ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીકના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે લીધી મુલાકાત !

ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી

New Update
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ભરૂચની મુલાકાતે

  • ખરચ ખાતે આવેલ બિરલા કંપનીના પ્લાન્ટની લીધી મુલાકાત

  • કાપડ ઉદ્યોગને વેગ આપવા કરવામાં આવી ચર્ચા વિચારણા

  • નવસારીમાં ટેકસટાઇલ પાર્ક બનાવવામાં આવશે

  • સરકાર દ્વારા 1100 એકર જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી
ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વેગીલા બનાવવા ભરૂચના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુઝીકના પ્લાન્ટની  કેન્દ્રીય કપડાં મંત્રી ગીરીરાજસિંહે મુલાકાત લીધી હતી.ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપધ્ધતિની  ટેકસટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે જાણી ચર્ચા વિચારણા કરી હતી. ઉત્પાદનથી બનતા નાયલોન, વિસ્કોસ, વુલ, સિલ્કને મિક્સ કરી અને ઉચ્ચ  ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તુ કાપડ કઈ રીતે બનાવી શકાય એની જાણકારી મેળવી હતી.આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર એચ કે અગ્રવાલ,  યુનિટ હેડ સંજય કુમાર વર્મા  અને પ્રોડક્શન મેનેજર મનમોહન સિંગ જોડાયા  હતા.વિસ્કોસ ફાઇબર ઉત્પાદન  ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે.
વિસ્કોસ ફાયબરમાં બિરલા સેલ્યુલોઝ એ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. 
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ભારતમાં  સાત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે જેમાં ઓછામાં ઓછી 1000 એકર જેટલી જમીન ફાળવવામાં આવશે.ગુજરાતમાં  1,100 એકર જેટલી જમીન નવસારીમા ફાળવવામાં આવી  છે જેમાં આગામી  સમયમાં   ટેકસટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.