ભરૂચ: ખરચ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીકના પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે લીધી મુલાકાત !

ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી

New Update
  • કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ ભરૂચની મુલાકાતે

  • ખરચ ખાતે આવેલ બિરલા કંપનીના પ્લાન્ટની લીધી મુલાકાત

  • કાપડ ઉદ્યોગને વેગ આપવા કરવામાં આવી ચર્ચા વિચારણા

  • નવસારીમાં ટેકસટાઇલ પાર્ક બનાવવામાં આવશે

  • સરકાર દ્વારા 1100 એકર જમીન ફાળવાય

Advertisment
ભરૂચના હાંસોટના ખરચ ગામ ખાતે આવેલ બિરલા સેલ્યુલોઝીક પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીએ મુલાકાત લઈ કાપડ ઉદ્યોગને કઈ રીતે વેગવંતો બનાવી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરી હતી
ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વેગીલા બનાવવા ભરૂચના ખરચ ગામે આવેલ બિરલા સેલ્યુઝીકના પ્લાન્ટની  કેન્દ્રીય કપડાં મંત્રી ગીરીરાજસિંહે મુલાકાત લીધી હતી.ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદનમાં જોડાયેલા ઉદ્યોગોની કાર્યપધ્ધતિની  ટેકસટાઇલ મંત્રી ગિરિરાજ સિંહે જાણી ચર્ચા વિચારણા કરી હતી. ઉત્પાદનથી બનતા નાયલોન, વિસ્કોસ, વુલ, સિલ્કને મિક્સ કરી અને ઉચ્ચ  ગુણવત્તા ધરાવતું શ્રેષ્ઠ ક્વોલિટીનું અને સસ્તુ કાપડ કઈ રીતે બનાવી શકાય એની જાણકારી મેળવી હતી.આ મુલાકાતમાં ગ્રાસિમના મેનેજિંગ ડિરેક્ટર એચ કે અગ્રવાલ,  યુનિટ હેડ સંજય કુમાર વર્મા  અને પ્રોડક્શન મેનેજર મનમોહન સિંગ જોડાયા  હતા.વિસ્કોસ ફાઇબર ઉત્પાદન  ક્ષેત્રે બિરલા ગ્રુપનું ઘણું મોટું યોગદાન છે.
વિસ્કોસ ફાયબરમાં બિરલા સેલ્યુલોઝ એ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે. 
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ભારતમાં  સાત પીએમ મિત્ર પાર્ક બનાવવામાં આવશે જેમાં ઓછામાં ઓછી 1000 એકર જેટલી જમીન ફાળવવામાં આવશે.ગુજરાતમાં  1,100 એકર જેટલી જમીન નવસારીમા ફાળવવામાં આવી  છે જેમાં આગામી  સમયમાં   ટેકસટાઇલ પાર્ક તૈયાર કરવામાં આવશે.
Read the Next Article

અંકલેશ્વર : NH 48 પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક હાઇવે નંબર-48 પર ભરૂચથી સુરત જવાના ટ્રેક પર ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે ફરીએકવાર ટ્રાફિકજામની

New Update
MixCollage-15-Aug-2025-08-42-PM-4225
અંકલેશ્વર નજીક હાઇવે નંબર-48 પર ભરૂચથી સુરત જવાના ટ્રેક પર ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે ફરીએકવાર ટ્રાફિકજામની પરિસ્થિતનું નિર્માણ થયું હતું.
Advertisment
ભરૂચથી સુરતને જોડતા નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામનો પ્રશ્ન વધુ વિકટ બન્યો છે.વાલિયા ચોકડી પાસે સાંકડો માર્ગ અને આમલાખાડીના બિસ્માર બ્રિજને કારણે હાલમાં ટ્રાફિકજામને કારણે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
સમયાંતરે સર્જાતી ટ્રાફિકની સમસ્યા ઉદ્યોગકારો અને ટ્રાન્સપોર્ટરને પરેશાન કરી રહી છે.દિલ્લી મુંબઈને જોડતા નેશનલ હાઇવે પર અંકલેશ્વર નજીક બોટલનેક અને બિસ્માર રસ્તાને કારણે વાહન વ્યવહાર થંભી જાય છે અથવા ધીમો પડે છે. સમસ્યા એ થાય છે કે કેમિકલ સહીતનું મટીરીયલ જે તે સ્થળે 24 કલાક સુધુ મોડુ પહોંચે છે જેની સીધી અથવા આડકતરી અસર વેપાર રોજગાર પર પડે છે ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલા ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે.