ભરૂચ: ભોઈવાડમાં ડોસાની નનામી કાઢી ઘરે ઘરે ફેરવી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી

ભરૂચના ભોઈવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા

New Update
ભરૂચમાં ધુળેટીના પર્વની ઉજવણી
ડોસાની કાઢવામાં આવી નનામી
ભોઇવાડમાં પરંપરાગત ઉજવણી કરાય
નનામી ઘરે ઘરે ફેરવવામાં આવી
અંતે અર્થીને આગ અપાઈ
ભરૂચના ભોઈવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા.
ભરૂચના ભોઇવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે અનોખી પ્રથા ચાલી આવે છે. આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે. અને ત્યાર બાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઇ જઈ હોળીના નાણા ઉઘરાવે છે. જે નાણામાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે. આજતોજ ભરૂચના ભોઇવાડ વિસ્તારના યુવાનો દ્વારા આ અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.