ભરૂચ: ભોઈવાડમાં ડોસાની નનામી કાઢી ઘરે ઘરે ફેરવી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી
ભરૂચના ભોઈવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા
ભરૂચના ભોઈવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘેર ઘેર ફેરવી હોળીના પૈસા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા , વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.