ભરૂચ: કમોસમી વરસાદે મીઠા ઉત્પાદકોને રડાવ્યા, 16 લાખ ટન મીઠુ ઓછું પાકે એવો અંદાજ !

કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટન જેટલુ જ મીઠાનું ઉત્પાદન થયું છે

New Update
  • ભરૂચમાં આવેલા છે મીઠાના 100થી વધુ અગર

  • માવઠાના કારણે મીઠું પકવતા ઉત્પાદકોને ફટકો

  • 70 ટકા ઉત્પાદન ઓછું થાય એવી શક્યતા

  • 16 લાખ ટન મીઠું ઓછું પાકે એવો અંદાજ

  • સરકાર પાસે સહાયની માંગ

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદને કારણે ઉદ્યોગકારોને ફટકો પડ્યો છે.માવઠાના કારણે 16 લાખ ટન મીઠું ઓછું પાકશે એવો અંદાજ લગાવવામાં આવ્યો છે.
મીઠું બગડવું એવી ગુજરાતમાં કહેવત છે તેનો અર્થ સંબંધ બગડવો એવો થાય છે પણ માવઠાને કારણે ભરૂચ જિલ્લાના મીઠું પકવતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો છે.ઉદ્યોગકારો દશેરાથી મીઠું પકાવવાનું શરૂ કરતાં હોય છે અને ફેબ્રુઆરીના અંતમાં મીઠુ કાઢતા હોય છે પણ આ વર્ષે દશેરા આસપાસ માવઠુ પડતા મીઠુ પકવી શકાયું નહોતું અને એટલે સીઝન મોડી શરૂ થઈ હતી અને ફેબ્રુઆરીના બદલે માર્ચ મહિનામાં અંતમાં મીઠું કાઢવું પડ્યું હતું.
એપ્રિલમાં માંડ સ્થિતિ થાળે પડી ત્યાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદ પડતા મીઠા ઉદ્યોગોને મરણતોલ ફટકો પડ્યો છે. જિલ્લામાં આવેલા 100થી વધારે અગરમાં અંદાજે 24 લાખ ટનથી વધારે મીઠાનું ઉત્પાદન કરાયું છે કમોસમી વરસાદના કારણે 70% ઉત્પાદન ઓછું થઈ જતા આ વર્ષે 16 લાખ ટન મીઠું ઓછું પાકવાથી ઉદ્યોગકારોની કમર તૂટી ગઈ છે.
Read the Next Article

અંકલેશ્વર: સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગ્યા, તંત્રએ થીંગડા માર્યા બાદ પણ પરિસ્થિતિ યથાવત

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.

New Update
  • ટી બ્રિજ પર ખાડા પડવાની શરૂઆત

  • સુરવાડી ટી બ્રિજનો રસ્તો જર્જરીત હાલતમાં

  • બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા

  • વાહન ચાલકોમાં અકસ્માતની દહેશત

  • તંત્ર દ્વારા થીંગડા માર્યા બાદ પણ કોઈ સુધારો નહીં

અંકલેશ્વરના સુરવાડી ટી બ્રિજ પર વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે,ત્યારે તંત્ર દ્વારા બ્રિજના માર્ગ પર થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી,પરંતુ પુનઃ ખાડામાં સળિયા દેખાવા લાગ્યા હતા.

અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષમાં જ ખાડા દેખાવા માંડ્યા હતા.જેના પગલે તંત્ર દ્વારા વારંવાર ડામરના થીંગડા મારવા પડી રહ્યા છે.4 મહિના પૂર્વે પણ માર્ચ માસમાં સળિયા દેખાવાના  અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટના થીંગડા મારી દેવામાં આવ્યા હતા.જે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર આવી ગયા છે,અને આખે આખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે.ત્યારે તંત્ર દ્વારા ફરી એકવાર સિમેન્ટનું લીપણ કરીને થીંગડા મારવાની કામગીરી કરવામાં આવી હતી.જોકે આ સમારકામ વરસાદના જોર સામે વધુ ટક્યું નહોતું,અને પુનઃ બ્રિજના માર્ગ પર સળિયા દેખાવા લાગતા વાહનચાલકો અકસ્માતનો ભય વ્યક્ત કરી રહ્યા છે.