ભરૂચ: ઉત્તરાયણ તહેવારની ખુશી પરિવાર માટે શોકમાં પરિણમી, યુવકનું દોરીથી ગળું કપાતા કરૂણ મોત

પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી

New Update
  • પતંગની કાતિલ દોરીએ યુવકનો જીવ લીધો

  • તહેવારની ખુશી પરિવાર માટે માતમ બની

  • 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાતા કરૂણ મોત

  • પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી

  • દહેજમાં પણ યુવક દોરથી થયો ઈજાગ્રસ્ત

 ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના કાતિલ દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે.નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચમાં ઉત્તરાયણ તહેવારમાં પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેના કારણે તેઓને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જોકે હોસ્પિટલમાં ઉપસ્થિત તબીબોએ સંજય પાટણવાડિયાને મૃત જાહેર કરતા તહેવારની ખુશી પરિવાર માટે શોકમગ્ન બની ગઈ હતી.આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

જ્યારે અન્ય એક બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતીજ્યાં રણજીતને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમની ઈજાઓ પર 6 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.