ભરૂચ: ઉત્તરાયણ તહેવારની ખુશી પરિવાર માટે શોકમાં પરિણમી, યુવકનું દોરીથી ગળું કપાતા કરૂણ મોત

પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી

New Update
  • પતંગની કાતિલ દોરીએ યુવકનો જીવ લીધો

  • તહેવારની ખુશી પરિવાર માટે માતમ બની

  • 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાતા કરૂણ મોત

  • પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી

  • દહેજમાં પણ યુવક દોરથી થયો ઈજાગ્રસ્ત

ભરૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના કાતિલ દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે.નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચમાં ઉત્તરાયણ તહેવારમાં પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેના કારણે તેઓને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

જોકે હોસ્પિટલમાં ઉપસ્થિત તબીબોએ સંજય પાટણવાડિયાને મૃત જાહેર કરતા તહેવારની ખુશી પરિવાર માટે શોકમગ્ન બની ગઈ હતી.આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

જ્યારે અન્ય એક બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતીજ્યાં રણજીતને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાજ્યાં તેમની ઈજાઓ પર 6 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થ અને કબીર આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી,ભક્તોએ મેળવ્યા ગરુજીના આશીર્વાદ

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામ , કબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

New Update
  • અંકલેશ્વર ગુરુપૂર્ણિમાએ ભક્તિમય રંગમાં રંગાયું

  • ગુરુપૂર્ણિમાએ છલાક્યો ભક્તોનો ભક્તિરસ 

  • રામકુંડ તીર્થ,કબીર આશ્રમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

  • ગુરુદેવના આશ્રમમાં ભક્તોએ ભજન કીર્તનની બોલાવી રમઝટ

  • ગુરુવંદના અને આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી

અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.જ્યારે શહેરના કબીર આશ્રમમાં પણ ગુરુ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી. શહેરના રામકુંડ તીર્થધામકબીર આશ્રમ સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી.ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુ વંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.,અને ભક્તોએ મહંત ગંગા દાસજી બાપુનું પૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

તો બીજી તરફ પંચાટી બજારમાં આવેલ  કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે  ગુરુ ચરણ દાસજીની ગુરુ વંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે કબીર આશ્રમમાં ભક્તિરસ છલકાયો હતો.