ભરૂચ: વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર થતા અત્યાચારો રોકવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું

New Update
  • ભરૂચ વીર બિરસા બ્રિગેડ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

  • કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ

  • આદિવાસી સમાજ પર અત્યાચાર વધ્યા હોવાના આક્ષેપ

  • અત્યાચારો રોકવાની કરવામાં આવી માંગ

  • મોટી સંખ્યામાં આદિવાસી સમાજના સભ્યો જોડાયા

Advertisment W3.CSS
ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડ દ્વારા આદિવાસી સમાજ પર વાણી વિલાસ સહિત અત્યાચારની ઘટનાઓ મુદ્દે કલકેટરને આવેદન પત્ર પાઠવાયું હતું
ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા વીર બિરસા બ્રિગેડના પ્રમુખ વિજયસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઘણા સમયથી આદિવાસી સમાજ ઉપર અત્યાચારની ઘટનાઓ બની રહી છે.હાલમાં પણ વાણી વિલાસ તેમજ શારીરિક માનસિક ત્રાસ સાથે સમાજ પીડાદાયક અને અપમાનિત સ્થિતિમાં જીવી રહ્યો છે.કવીઠા ગામના કીર્તન વસાવાને પી.આઈ પરમાર દ્વારા ત્રાસ આપવામાં આવતા તેને સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી હતી.જેવી જ રીતે વાગરાના ઓરા ગામે બે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો,જંબુસરના ધરમપુર-બોજાદરાના અક્ષય વસાવા ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેઓએ  ઝેરી દવા પી લીધી હતી.તેવામાં આદિવાસી સમાજ ઉપર થઈ રહેલ અત્યાચારો રોકવા સાથે આદિવાસી સમાજના હક્ક,અધિકારોનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

Advertisment W3.CSS

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.