New Update
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ફૂલવાડીના ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યુ
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
રૂઢી-પ્રથા ગ્રામસભાના ઠરાવ અંગે કરાય રજુઆત
મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
ભરૂચ જિલ્લા કલકેટર કચેરીએ ઝઘડિયા ફૂલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢી તથા પ્રથા ગ્રામ સભાના ગઠનને લઈ આવેદનપત્ર આપ્યું
ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના અને રૂઢી તથા પ્રથા ગ્રામ સભાના મુખી રાકેશ અરવિંદ વસાવા સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ રૂઢી પ્રથા ગ્રામસભાનું ગઠન કર્યું છે.જેથી ગામમાં કામો,જમીન અને અન્ય કોઈ વિગતોને લગતી કાર્યવાહી જેવી કે લિઝ,ભાડા પટ્ટા,જમીન લે વેચ તેમજ બિન ખેતી અંગેની કાર્યવાહી રૂઢી અને પ્રથા વાળી ગ્રામસભાને જાણ કે વિશ્વાસમાં લઈને કરવા સાથે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.