ભરૂચ: જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા 5 ગ્રામપંચાયતની પાણી સમિતિને રૂ.50-50 હજારનો ચેક અર્પણ કરાયો

ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 5 જેટલી ગ્રામ પંચાયતોની પાણી સમિતિને ચેકનું વિતરણ કરાયું હતું.

New Update
  • ભરૂચ જિલ્લામાં યોજાયો કાર્યક્રમ

  • જિલ્લા જળ અને સ્વરછતા એકમ દ્વારા આયોજન

  • 5 ગ્રામપંચાયતોની પાણી સમિતિને કરાય પ્રોત્સાહિત

  • રૂ.50-50 હજારના ચેકનું વિતરણ કરાયુ

  • અધિકારીઓ અને આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત 5 જેટલી ગ્રામ પંચાયતોની પાણી સમિતિને ચેકનું વિતરણ કરાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વિવિધ ગ્રામ પંચાયતોમાં પાણી સમિતિની રચના કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલી પાંચ ગ્રામ પંચાયતો કે જેમાં 70% થી વધુ મહિલા પાણી સમિતિ છે અને આ મહિલાઓની પાણી સમિતિએ સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી જે બદલ રાજ્ય સરકાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચની જુની કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 ગ્રામપંચાયતોની પાણી સમિતિને રૂપિયા 50,000ના ચેકનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિટ મેનેજર દર્શના પટેલ સહિતના અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં સારી કામગીરી થાય દિશામાં પ્રયત્નો કરવા ઉપસ્થિતોને અનુરોધ કરાયો હતો.
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment