ભરૂચ: ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતા નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો શરૂ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે જેથી વહીવટી તંત્ર અને કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે

New Update

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે જેથી વહીવટી તંત્ર અને કાંઠા વિસ્તારના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 4 લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી 27 ફૂટ પહોંચી ગઈ હતી જે તેની ભયજનક સપાટી 24 ફૂટ થી 3 ફૂટ વધારે નોંધાઇ હતી. જોકે ડેમમાંથી પાણીનો આવરો ઓછો થતાં હવે નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો થયો છે.આજે સવારના સમયે નર્મદા નદીની જળ સપાટી 22.69 ફૂટ નોંધાઈ હતી.સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2,45,465 અને 18,337 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં બે લાખ 33,496 ક્યુસેક પાણીની આવક છે. તો નર્મદા ડેમની જળ સપાટી 134.19 મીટર પર પહોંચી છે. નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતાં વહીવટી તંત્ર સહિત કાંઠાના ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Read the Next Article

અંકલેશ્વર: રામકુંડ ખાતે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરાયુ

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

New Update
MixCollage-08-Jul-2025-08-38-PM-8313

દર વર્ષે રામકુંડના મહંત ગંગાદાસ મહારાજ દ્વારા ટર્સ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજે તેરસ નિમિત્તે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં સંતોને પ્રસાદી જમાડીતેઓને ભેટ સ્વરૂપે છત્રી આપવામાં આવી હતી. આ ભંડારાનો 350થી વધુ સાધુ સંતોએ લાભ લીધો હતો.