ભરૂચ: પત્નિ સરપંચ તો પતિ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા, જંબુસરના ખાનપુર દેહ ગામની ચૂંટણીમાં અનોખી ઘટના

ભરૂચના તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પતિ અને પત્ની બંનેનો વિજય થયો હતો.પતિએ સભ્ય તરીકે તો પત્નીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

New Update
  • આજે ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી

  • જંબુસરના ખાનપુર દેહ ગામની ચૂંટણીમાં અનોખી ઘટના

  • પતિ પત્નિ બન્નેએ લડી ચૂંટણી

  • પત્નિ સરપંચ બન્યા તો પતિ સભ્ય

  • ઘોડા પર મનાવવામાં આવ્યો વિજયોત્સવ

ભરૂચ જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં અનોખી ઘટના જોવા મળી છે. અહીં પતિ અને પત્ની બંનેએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી અને ચમત્કારિક રીતે બંનેએ જ વિજય મેળવ્યો હતો.પત્ની વહીદાબેન અબ્દુલ રસીદ પટેલે 2009 મત મેળવીને સરપંચ તરીકે વિજય મેળવ્યો છે, જ્યારે પતિ અબ્દુલ રસીદ પટેલ પણ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.
બંનેના એકસાથે વિજયથી ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. વિજયના ઉજવણી માટે ઘોડા પર બેસી વિજયોત્સવ યોજવામાં આવ્યો હતો. ગામજનો દ્વારા જીતની ખુશી મનાવવામાં આવી હતી અને ઘોડા પર બેઠેલા વિજેતા અબ્દુલ રસીદ પટેલનું ઉલ્લાસભેર સ્વાગત પણ કરવામાં આવ્યું  હતું.
Read the Next Article

ભરૂચ : આમોદના કાંકરીયા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક!

કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

New Update
  • કાંકરીયા પ્રાથમિક શાળાનો બનાવ

  • ધો.1થી 5માં અભ્યાસ કરે છે બાળકો

  • જોકે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે શાળા

  • બાળકોના ભવિષ્ય પર સર્જાયો પ્રશ્નાર્થ?

  • વધુ શિક્ષકોની ભરતી માટે ઉઠી માંગ 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનીતિને લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે,આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ થકી પણ શૈક્ષણિક ક્ષેત્રે સરકાર પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી રહી છે,ત્યારે બીજી તરફ  નજર કરીએ તો હકીકત વિપરીત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામે  ધોરણ 1 થી 5 માં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. અને આ શિક્ષક પણ સરકારી મિટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં બાળકોને અભ્યાસ કરાવશે તે પણ નક્કી હોતુ નથી.ગામમાં શાળા છે અને તેમાં બાળકો પણ છે પરંતુ શિક્ષકોની અપૂરતી વ્યવસ્થાએ બાળકોના ભવિષ્યનેચિંતાગ્રસ્ત બનાવી દીધું છે.

કાંકરિયા ગામના આગેવાન અને સરપંચ પતિ પ્રવીણ ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને બે થી ત્રણ શિક્ષકની ફાળવણી કરવામાં આવે,પરંતુ કાંકરિયા ગામમાં સરકારના મહત્વના ભણતર અંગેના સૂત્ર "સૌ ભણે અને સૌ આગળ વધે" નું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે.

આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરીયા ગામે સામે આવી છે.જ્યાં ધોરણ 1થી 5માં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવીને બાળકોને ભણાવી રહ્યા છે.જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં વે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.