ભરૂચ: હાંસોટમાં પરિવારજનોને મળવા આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાય, કેન્દ્ર સરકારના વિઝા રદ્દના નિર્ણય બાદ કાર્યવાહી

દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા

New Update
  • આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓના વિઝા રદ્દ

  • હાંસોટમાં પાકિસ્તાનથી એક મહિલા આવ્યા હતા

  • પરિવારજનોને ત્યાં આવ્યા હતા મહિલા

  • પોલીસ દ્વારા મહિલાને પાકિસ્તાન રવાના કરાય

  • 26 જૂન સુધી રોકવાના હતા

દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસવડા ને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.ભરૂચના હાંસોટ ખાતે પાકિસ્તાનથી તારીખ 14 મી એપ્રિલે આવેલ શાહીદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. શાહિદા બીબી હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે તેઓ 26 જુન સુધી રોકાવાના હતા પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે.

આ અંગે હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શાહિદા બીબી નામના પાકિસ્તાની નાગરિક તારીખ 14મેએ હાસોટ ખાતે રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા અને 26 જૂન સુધી રોકાવાના હતા જોકે સરકારના નિર્ણયના પગલે તેઓને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે
Read the Next Article

ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો...

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ

  • જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા આયોજન

  • નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરાયું

  • ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સરકાર સમક્ષ ડ્રાઇવર વર્ગની સમસ્યા રજૂ કરવાનો ઉદ્દેશ્ય

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશન દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં અવસાન પામેલા ડ્રાઇવરોના સ્મરણાર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચ જિલ્લા પંચાયત ડ્રાઇવર એસોસિએશનના અધ્યક્ષ કનુ વાળંદ અને ભુપેન્દ્ર પરમારની આગેવાની હેઠળ નિવૃત ડ્રાઇવરો માટે સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ ડ્રાઇવર કેડરના ઘટતા પ્રમાણ અને તેની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ બેચર રાઠોડે જણાવ્યું હતું કે, “નિવૃત થયેલા ડ્રાઇવરોને સરકાર તરફથી મળતી રિટાયરમેન્ટ સ્કીમના તમામ હકો સમયસર અને યોગ્ય રીતે મળી રહે તે જરૂરી છે. જેથી તેમનું જીવન સુખમય બની રહે.” આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સન્માન નથી. પરંતુ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ડ્રાઇવર વર્ગની જરૂરિયાતો અને સમસ્યાઓ રજૂ કરવાનો પણ હતો.