ભરૂચ: હાંસોટમાં પરિવારજનોને મળવા આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરાય, કેન્દ્ર સરકારના વિઝા રદ્દના નિર્ણય બાદ કાર્યવાહી

દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા

New Update
  • આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓના વિઝા રદ્દ

  • હાંસોટમાં પાકિસ્તાનથી એક મહિલા આવ્યા હતા

  • પરિવારજનોને ત્યાં આવ્યા હતા મહિલા

  • પોલીસ દ્વારા મહિલાને પાકિસ્તાન રવાના કરાય

  • 26 જૂન સુધી રોકવાના હતા

Advertisment
દેશમાં આવેલા પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ભરૂચના હાંસોટ ખાતે પરિવારજનોને ત્યાં આવેલ મહિલાને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા હતા

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતમાંથી પાકિસ્તાની નાગરિકને મોકલવાનો પહેલો કિસ્સો ભરૂચમાંથી પ્રકાશમાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લાના પોલીસવડા ને પાકિસ્તાનના નાગરિકોને પરત મોકલવા અંગે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની સૂચનાથી હાંસોટ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.ભરૂચના હાંસોટ ખાતે પાકિસ્તાનથી તારીખ 14 મી એપ્રિલે આવેલ શાહીદા બીબી નામના મહિલાને ભરૂચથી અટારી બોર્ડર મોકલવામાં આવ્યા છે. શાહિદા બીબી હાંસોટના ભાટવાડમાં રહેતા તેમના પરિવારજનોને ત્યાં આવ્યા હતા ત્યારે ભારત સરકારના નિર્ણય બાદ તેઓને ફરી પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે તેઓ 26 જુન સુધી રોકાવાના હતા પરંતુ ભારત સરકારના નિર્ણયના પગલે પોલીસે અંગે કાર્યવાહી કરી તેઓને રવાના કર્યા છે.

આ અંગે હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે શાહિદા બીબી નામના પાકિસ્તાની નાગરિક તારીખ 14મેએ હાસોટ ખાતે રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા અને 26 જૂન સુધી રોકાવાના હતા જોકે સરકારના નિર્ણયના પગલે તેઓને પાકિસ્તાન રવાના કરવામાં આવ્યા છે
Advertisment
Latest Stories