ભરૂચ: રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરાઈ

આદિવાસી સમાજના આગેવાન દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી

New Update

રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી 

આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ રેલી

ભગવાન બિરસામુંડાને પુષ્પહાર અર્પણ કરાયા 

આદિવાસી સંગઠનોને એક મંચ પર આવવા કરાયું આહવાન 

જિલ્લા કલેક્ટરને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર પાઠવ્યું 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે તારીખ 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી
આજરોજ દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી હતી,અને રાજપારડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી ઉપસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. તેઓએ આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા
તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ રાજપારડી થી તેઓ ભેગા થઈ ભરૂચ કલેકટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં નોટીફાઇડ એરીયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • નોટીફાઇડ એરિયા ભાજપ દ્વારા આયોજન

  • તિરંગા યાત્રા નિકળી

  • શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

  • રાષ્ટ્રભાવના ઉજાગર કરાય

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ અને લાયન્સ સ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપના પ્રમુખ જય તેરૈયા,આગેવાન જશુ ચૌધરી, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રાષ્ટ્ર ભાવના ઉજાગર કરી હતી.
Latest Stories