અંકલેશ્વર: સરદાર પટેલ સેવા સમાજ દ્વારા મહારક્તદાન શિબિર યોજાય

અંકલેશ્વરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો

New Update

અંકલેશ્વરમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો

અંકલેશ્વરના સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેમજ આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા લોકનેતા સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પ જીઆઇડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે યોજાયો હતો. કુમારપાળ ગાંધી બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી 200 યુનિટ રક્ત એકત્રિત  કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વિઠ્ઠલ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર યોજાઇ રહી છે જેમાં 13 થી 14 હજાર યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.રક્તદાન શિબિરમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,આઈડિયલ ગૃપના યોગેશ પટેલ સહીત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.