ભરૂચ : ઝઘડીયા તાલુકામાં આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી, કેળ સહિતના પાકમાં મોટું નુકશાન...

ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું..

New Update
  • જિલ્લા સહિતના તાલુકાઓમાં વરસ્યો હતો વરસાદ

  • ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી

  • નદી કાંઠાના ખેતરોમાં ઊભા પાકને થયું મોટું નુકશાન

  • ખેતી નુકશાન સામે ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું

  • સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ નદી કાંઠાના ખેતરોમાં તારાજી સર્જી દેતા ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં મકાનો છતો ઉડી જવા સાથે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતાત્યારે ઝઘડીયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

ઝઘડીયા તાલુકાના ભાલોદઓર પટાર,  ટોથિદ્રાતરસાલીવણકપોરકૃષ્ણપરિરુંઢઇન્દોરપાણેથાઅશાવાસણા સહિત વિસ્તારના ખેડૂતોએ મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પાક લેવાની તૈયારીના સમયે ખેડૂતોના ખેતરમાં કેળના ઉભા ઠળિયા મૂળમાંથી ઉખડી જમીનદોસ્ત થયા છે. જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તો બીજી તરફસરકાર દ્વારા સર્વે કરાવી સહાયરૂપી મદદ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.