અંકલેશ્વરના પીરામણ ગામ તળાવમાં પ્રદુષિત પાણીને કારણે માછલીના મોતથી સ્થાનિકોમાં આક્રોશ

પીરામણ ગામ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે તળાવના પાણીમાં માછલીઓ ટપોટપ મોતને ભેટી હોવાની ઘટના પ્રકાશમાં આવી ઘટના અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી

New Update
Piraman Village Fish Death
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ તળાવમાં મૃત હાલતમાં માછલીઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી,તળાવમાં પ્રદૂષિત પાણીથી આ માછલીઓના મોત થયા હોવાનો સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે તળાવના પાણીમાં માછલીઓ ટપોટપ મોતને ભેટી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ ઘટના અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી હતી,અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળ પર દોડી જઈને તળાવના પાણીના નમૂના લઈને પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા હતા.
Piraman Village Fish Death...
સર્જાયેલી ઘટનાથી વ્યથિત સ્થાનિક લોકોએ તળાવમાં ઉદ્યોગોનું પ્રદુષિત પાણી ભળી જવાના કારણે માછલીઓના મોત થયા હોવાનો આક્ષેપ કર્યો હતો,અને બેજવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. 
Read the Next Article

ભરૂચમાં ગ્રીન ટેક્નોલોજીથી માર્ગનું મજબુતીકરણ : ખાડાઓ ભૂતકાળ બનશે

ભરૂચ: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

New Update

ભરૂચ ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીના ઉપયોગથી પ્રથમવાર ભરૂચ જિલ્લાના જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની મંજૂરી આપાઈ છે.

આ ટેક્નોલોજીમાં હયાત મટીરીયલને રીસાયકલ કરીને Chemically Stabilized Base તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટહોલ્સની સમસ્યા નાબૂદ થશે. પર્યાવરણને અનુકૂળ અને ખર્ચમાં ઘટાડો કરનારી આ પદ્ધતિ ભવિષ્યમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉપયોગી સાબિત થશે.હાલ દેવલા ગામ પાસે ૫૦૦ મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ-૨૦૨૬ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.