ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ડ્રમ પર્ફોર્મન્સ થેરાપી યોજાય, શિક્ષકોએ "ઈન ધી મોમેન્ટ" સંગીતનું સર્જન કર્યું

આપણાં જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, અને સંગીત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પણ ડ્રમ વગાડવાથી મનુષ્યમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે

New Update

જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું આયોજન

માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો

શિક્ષકો માટે માઇન્ડફુલ થેરાપી સત્રનું આયોજન કરવામાં આવ્યું

સંગીત તજજ્ઞ ડો. ખુશ્બુ શાહ-ટીમ દ્વારા "ડ્રમ સર્કલ" કાર્યક્રમ

શિક્ષકોને ડ્રમ આપી "ઈન ધી મોમેન્ટ" સંગીતનું સર્જન કરાવ્યુ

દરેક શિક્ષકો માટે ડ્રમ પર્ફોર્મન્સ થેરાપીનો રહ્યો સુખદ અનુભવ

 ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ” અંતર્ગત શાળાના શિક્ષકો માટે ડ્રમ પર્ફોર્મન્સ થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 વર્તમાન સમયમાં શિક્ષણ હોય કેધંધા-રોજગારમાં પણ સ્પર્ધાત્મક વાતાવરણ હોવાના કારણે મનુષ્યમાં સામાન્યત: માનસિક તણાવમાં વધારો થાય છે. આપણાં જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી મહત્વપૂર્ણ ભાગ ભજવે છેઅને સંગીત સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પણ ડ્રમ વગાડવાથી મનુષ્યમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે.

સાંપ્રત આર્થિકસામાજિકવ્યાવસાયિક પરિસ્થિતિના કારણે ઉદભવતા તણાવમાંથી મુક્ત થવા માટે ભરૂચની ખ્યાતિ પ્રાપ્ત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા શાળાના શિક્ષકો માટે વિશેષ સેમીનાર યોજાયો હતો. જેમાં સંગીત તજજ્ઞ ડો. ખુશ્બુ શાહ અને તેમની ટીમ દ્વારા "ડ્રમ સર્કલ"નું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં શાળાના શિક્ષકગણ સહિતના કાર્મચારીઓને એક જુથમાં બેસાડી સૌથી સરળ શબ્દોમાં ડ્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 ત્યારબાદ દરેક શિક્ષકને અલગ ડ્રમ આપી એકસાથે થાપ મારીને "ઈન ધી મોમેન્ટ" સંગીતનું સર્જન કરાવ્યુ હતું. ડ્રમ પર્ફોર્મન્સ થેરાપીનો દરેક શિક્ષકો માટે સુખદ અનુભવ રહ્યો હતો. જેમાં માનસિક ત્રાસદીકંટાળાને ક્રમશ: દૂર કરી આહલાદકઆનંદદાયક સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સંગીત ધ્યાનાત્મક અવસ્થાનું સર્જન કરે છેપરસ્પર મિત્રતાને સુદ્રઢ બનાવે છે અને આત્મીયતાનો સાક્ષાત્કાર કરે છેત્યારે વ્યાવસાયિક સ્તરે કર્મચારીઓમાં નેતૃત્વના ગુણોમાં પણ વૃદ્ધિ થાય છે. 

આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડિરેક્ટર સહિત તમામ વિભાગના આચાર્યો તેમજ મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉત્સાહભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સંગીત તજજ્ઞ ડો. ખુશ્બુ શાહ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવેલ મૂલ્યવાન જ્ઞાન અને સમય માટે શાળા પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: વાલિયા તાલુકા BJP પ્રમુખનું વોટ્સએપ હેક, "આપકે ઓર હમારે પ્યાર ભરે પલ" લખી લીંક સેન્ટ કરાયા

ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી

New Update
  • ભરૂચમાં સાયબર માફિયાઓનો ખેલ

  • વાલિયા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરાયુ

  • વોટ્સએપ પરથી અશ્લીલ મેસેજ કરાયા

  • પ્રમુખ પૃથ્વીસિંહ ગોહિલનું વોટ્સએપ હેક

  • વાલિયા પોલીસને અરજી અપાય

ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના વાલિયા ખાતે રહેતા અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વાલિયા ગામના ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ ગત તારીખ-24મી જુનના રોજ રાતે પરિવાર સાથે સુઈ ગયા હતા તે દરમિયાન મોડી રાતે 2 કલાકે અજાણ્યા સાયબર ઠગોએ તેઓનું વોટ્સએપ હેક કરી તેમાં રહેલા 2500 થી 3 હજાર કોન્ટેક્ટ લિસ્ટમાં હિન્દીમાં આપકે ઔર હમારે પ્યાર ભરે પલ,બીતે.opk 1.8 mb.APK અને દેખ કર તો યાદ આભી ગયા હોગાના બે મેસેજ સહિત એક પી.ડી.એફ લિંક ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ ફેલાવવામાં આવ્યો હતો.
આ અંગેની પૃથ્વીરાજસિંહ ગોહિલને તેઓના કોન્ટેક્ટ લિસ્ટના નંબર પરથી ફોન આવતા તેઓને ઘટનાની જાણ થઈ હતી.જેથી તેઓએ પોતાના વોટ્સએપને હેક કરી સાયબર ઠગોએ બીભત્સ મેસેજ કર્યા હોવા સાથે પોતે સાયબર હુમલાના શિકાર બન્યા હોવાનું માલુમ પડ્યું હતું.જેથી તેઓએ વાલિયા પોલીસ મથકે સાયબર ઠગો વિરુદ્ધ અરજી આપી હતી. અને લોકોને આવી લિંક કે મેસેજથી સાવધાન રહેવા અપીલ કરી હતી.