અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસકર્મી પર જીવલેણ હુમલો

અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસકર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી,જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

New Update

અંકલેશ્વર શહેરમાં વિસર્જન દરમિયાન બની ઘટના 

પોલીસકર્મી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો 

ઈજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ 

પોલીસે કરી હુમલાખોરની ધરપકડ 

આરોપી અગાઉ પણ પોલીસ પર કરી ચુક્યો છે હુમલો 

અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસકર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી,જોકે હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહી હતી,તે દરમિયાન ભરૂચીનાકા પાસે પોલીસ બંદોબસ્તમાં ફરજ પર રહેલા પંચાટી પોલીસ ચોકીના  હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર શંકરભાઈ વસાવાએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બન્યું કંઈક એવું હતું કે શહેરના ભરૂચીનાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે ભારે ભીડ ઉમટી હતી,અને તે દરમિયાન મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દો બોલતો હતો,જેને પોલીસકર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.તેમજ મહેન્દ્ર વસાવાએ પોતાની પાસે રહેલા ચપ્પા જેવા તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસકર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડી હતી.સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસકર્મીઓ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો,જ્યારે ઈજાગ્રસ્ત પોલીસકર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાના પ્રયાસ,ફરજ પર પોલીસકર્મી પર હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે મહેન્દ્ર વસાવાએ અગાઉ વર્ષ 2016માં પણ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો,જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોનબેલેબલ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. અને પંચાટી પોલીસ ચોકી દ્વારા ત્રણ મહિના પહેલા જ વોરંટની બજવણી કરવામાં આવી હતી. 
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.