ભરૂચ: ઝાડેશ્વરની મંગલદર્શન સોસા.ના.મકાનમાં આગ, ફાયર ફાયટરોએ કિંમતી સામાન બચાવી પરિવારને સોંપ્યો

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલ દર્શન સોસાયટીમાં મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
bharuch house fire

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલદર્શન સોસાયટીમાં મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ કરવામાં આવતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Advertisment

ફાયર ફાઈટરોએ આગમાંથી કીમતી સામાન બચાવી પરિવારને સોંપી ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. તો સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ બનાવમાં કોઈ જાનહાની ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Advertisment
Latest Stories