ગુજરાતમાં પ્રથમ વખત ભરૂચ-ઝઘડિયાના પાણેથા ગામના ખેડૂતે કરી બ્રાઝિલની નડાલ મોસંબીની સફળ ખેતી...

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે પણ મોસંબીની સફળ ખેતી કરી બતાવી છે. એટલું જ નહીં, ખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું

New Update
  • ઝઘડિયાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂતે ગુજરાતમાં પ્રથમ વખત કરી બતાવી સફળ ખેતી

  • બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીની સફળ ખેતી કરી

  • નટાલવેસ્ટિન અને હેમરીન મોસંબીનું પણ વાવેતર કર્યું

  • પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતોને આપી રહ્યા છે પ્રેરણા 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

મોસંબી એક ખાટા-મીઠા સ્વાદવાળુંરસાળ ફળ છે. તેનું શાસ્ત્રીય નામ સાઈટ્રસ લાઈમેટ્ટા છે. ભારતમાં આ ફળને મોસંબીમૌસંબી કે મુસંબી જેવાં નામોથી ઓળખવામાં આવે છે. મોસંબી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આપણે આપણા રોજિંદા જીવનમાં મોસંબીનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ છે.

 મોસંબીમાં વિટામિન સીફાઇબર અને અન્ય ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છેજે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ તો ભારતના તમિલનાડુમાં આ ફળનું સૌપ્રથમ વાવેતર કરવામાં આવ્યું હતું. આજે ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ મોસંબી ઉગાડવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂતે પણ મોસંબીની સફળ ખેતી કરી બતાવી છે. એટલું જ નહીંખેડૂતે નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલ દેશના નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે.

ખેડૂત ધીરેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કેહું છેલ્લા 35 વર્ષથી ખેતી કરું છું. પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે. સાથે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલવેસ્ટિન અને હેમરીનનું પણ વાવેતર કર્યું છે. આ છોડ એકવાર વાવેતર કર્યા પછી સતત 15 વર્ષ સુધી તેનું ઉત્પાદન આપે છે. બ્રાઝિલની ટેકનોલોજીના આધારે 300 રૂપિયાનો એક છોડ લાવી ખેતરમાં વાવેતર કર્યું છે. ખેતરની પડતર જગ્યામાં મલ્ટીપલ ફાર્મિગ કરી પાણેથા ગામના પ્રગતિશીલ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.