-
ભરૂચના જંબુસરના વાતાવરણમાં પલટો
-
ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો
-
વરસાદના પગલે સોસા.માં પાણી ભરાયા
-
મકાનમાં પાણી પ્રવેશ્યા
-
લોકોની ઘર વખરીને નુકશાન
ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જંબુસર પંથકમાં પણ આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા. નૂરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં પણ પ્રવેશ્યા હતા જેના કારણે લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ભર ઉનાળે જંબુસરમાં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના મકાનમાં વરસાદી પાણી ફરીવળતા ઘરવખરીને નુકસાન થયું હતું.તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી કરવામાં આવી છે.