બુલાતી હે, મગર જાને કા નહીં..! : અંકલેશ્વરમાં મહિલાએ યુવાનને મદદ માટે બોલાવ્યો, અને 10 હજારની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગઈ...

અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મહિલાએ કોસમડીના યુવકને મદદ માટે બોલાવી રૂ. 10 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, ત્યારે આ મામલે GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી

New Update
  • GIDC વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી

  • એક મહિલાની મદદ કરવી યુવાનને ભારે પડી

  • મહિલાએ મદદના બહાને યુવાનને કર્યો હતો ફોન

  • યુવાન પાસેથી રૂ. 10 હજાર લઇ મહિલા ફરાર થઈ

  • યુવકે પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક મહિલાએ કોસમડીના યુવકને મદદ માટે બોલાવી રૂ. 10 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, ત્યારે આ મામલે GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે રહેતા મોહમ્મદ રીઝવાનને રાત્રિના 10 વાગ્યાના અરસામાં રંજનબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. જેમાં મહિલાએ જણાવ્યુ હતું કેમારી ગાડી ખરાબ થઇ ગઈ છે. જલધારા ચોકડી પાસે મારુ ઘર છેતો મને મારા ઘર સુધી મુકી જાવ. એવું કહીને યુવકને અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલ એપ્પલ પ્લાઝા પાસે બોલાવ્યો હતો.

અને યુવક સાથે મોપેડ પર બેસી તેને જોગર્સ પાર્ક નજીકની સોસાયટી તરફ લઈ ગઈ હતીજ્યાં અન્ય યુવતી પણ હાજર હતી. આ દરમ્યાન યુવકના ખિસ્સામાં રહેલા 10 હજાર રૂપિયા લૂંટી લઈ બન્ને મહિલાઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર મામલે મોહમ્મદ રીઝવાને અંકલેશ્વર GIDC પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતીત્યારે હાલ તો પોલીસે બન્ને મહિલાઓને વહેલી તકે ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.