શ્રાવણનો “આરંભ” : ભરૂચમાં ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર...

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

New Update

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છેત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.

શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છેત્યારે આજથી એટલે કેતા. 5 ઓગષ્ટથી મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવની લોકો ભોળા ભાવે પુજા કરશે. સાથે જ હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન પણ શરૂ થઇ છે. જે છેક દિવાળીના તહેવાર સુધી ચાલુ રહેશે. હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છેતે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે.

શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છેત્યારે શ્રાવણ માસમાં ભગવાન શિવજીના પૂજન-અર્ચનનું પણ અનેરું માહત્મ્ય રહેલું છે. સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવાલયોમાં લઘુરુદ્ર યજ્ઞઅતિરુદ્ર યજ્ઞમહાઆરતીઅન્નકૂટ તેમજ બરફના શિવલિંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ભક્તોમાં ભારે આકર્ષણ જમાવશેત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન શિવ સહિતના દેવી-દેવતાઓના પૂજન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.