અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં વિકાસ પેનલે મારી બાજી,8 બેઠકો પર મેળવી જીત

જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી. કોર્પોરેટ,રિઝર્વ કેટેગરીની એક - એક બેઠક સાથે  જનરલ કેટેગરીની 6 બેઠક મળીને 8 બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો

New Update
  • AIA ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય

  • મધ્યરાત્રીએ પરિણામ થયું જાહેર 

  • 10માંથી 8 બેઠકો પર મેળવી જીત

  • સત્તારૂઢ સહયોગના ફાળે 2 બેઠકો આવી

  • ટૂંક સમયમાં પ્રમુખ અને હોદ્દેદારોની થશે વર્ણી

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટી માટેની ચૂંટણીની મતગણતરીમાં રસાકસી બાદ વિકાસ પેનલનો 8 બેઠકો પર ભવ્ય વિજય થયો હતો.જ્યારે સત્તારૂઢ સહયોગના પક્ષે બે બેઠકો આવી હતી.
અંકલેશ્વરના ઉદ્યોગ મંડળનો ચૂંટણીનો જંગ તારીખ 20મી જૂન શુક્રવારના રોજ યોજાયો હતો.આ ચૂંટણીમાં કોર્પોરેટ,રિઝર્વ અને જનરલ કેટેગરી માટે ચૂંટણીમાં મતદારોએ મતદાન કર્યું હતું.AIA ચૂંટણીમાં કુલ 1229 મતદારો નોંધાયા છે,જેમાંથી 1057 મતદારોએ મતાધિકારનો ઉપયોગ સાથે 86.63 ટકા મતદાન નોંધાયું હતું.
મતદાન બાદ ઉત્તેજનાસભર માહોલ વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ રાઉન્ડથી જ વિકાસ પેનલનો ઘોડો ચૂંટણી રેસમાં આગળ રહ્યો હતો.અને મધ્યરાત્રીએ જાહેર થયેલા પરિણામમાં વિકાસ પેનલે બાજી મારી હતી. કોર્પોરેટ,રિઝર્વ કેટેગરીની એક - એક બેઠક સાથે  જનરલ કેટેગરીની 6 બેઠક મળીને 8 બેઠકો પર વિકાસ પેનલે વિજય પ્રાપ્ત કર્યો હતો.જ્યારે અસ્તિત્વના આ ચૂંટણી જંગમાં સત્તારૂઢ સહયોગ પેનલ બે બેઠક પર જીત મેળવી શક્યું હતું.
AIA ચૂંટણીમાં1229 પૈકી 1057 મતદારોએ મતદાન કર્યું હતું.જેમાંથી ગણતરીના અંતે 939 મત માન્ય રહ્યા હતા,જ્યારે 118 મત રદ થયા હતા.હવે આગામી સમયમાં મેનેજીંગ કમિટીની બોર્ડ મિટિંગ મળશે જેમાં પ્રમુખ સહિત હોદ્દેદારોની વર્ણી કરવામાં આવશે.

# વિજેતા ઉમેદવારોના નામ અને મળેલ મત : 

કોર્પોરેટ કેટેગરી:-
વિકાસ પેનલ:-
- રાવ પી. આર.- 513
# રિઝર્વ કેટેગરી :
# વિકાસ પેનલ :
- પટેલ યોગેશ આર - 523
# જનરલ કેટેગરી :
વિકાસ પેનલ:-
- પટેલ ભૂપેન્દ્ર એસ - 514
- પટેલ નિલેશ બી - 556
- ગઢીયા કમલેશ એન - 512
- જીંજાળા નરેન્દ્ર એ - 497
- પટેલ અતુલ બી - 503
- પટેલ વિમલકુમાર.કે - 484
સહયોગ પેનલ:-
- ચોવટીયા અશોક એન - 510
- પટેલ હરેશ જી - 496
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.