અંકલેશ્વર: ઉકાઈ જમણાકાંઠા નહેર 36 દિવસ બંધ રહેતા પાણીની તંગીના એંધાણ, તંત્ર દ્વારા કરાયુ આગોતરું આયોજન
અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રીપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે.