અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું. મુખ્ય માર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આખલા પર પાણી છાંટી તેમને શાંત પાડ્યા હતા. અંકલેશ્વરમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે.રખડતા ઢોરના કારણે અનેક વખત અકસ્માત સહિતના પણ બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પુનઃ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે