અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

અંકલેશ્વર એસવીએમ શાળામાં જન્માષ્ટમી પર્વની ઉજવણી 

નર્સરીથી ધો.7 સુધીના બાળકોએ ઉજવણીમાં લીધો ભાગ 

નર્સરી શિશુના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમીનું ગીત કર્યું રજૂ 

કંસના વધની નૃત્ય નાટિકા રજુ કરતા ધો.7ના વિદ્યાર્થી 

સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શાળાના બાળકોએ સૌને કર્યા મંત્રમુગ્ધ 

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં નર્સરી થી ધોરણ આઠ સુધીના જન્માષ્ટમીના પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. 
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિતિની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં કૃષ્ણના જન્મોત્સવ ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના નિવૃત્ત શિક્ષક વિરલ શાહ તેમજ તેમના ધર્મપત્ની ગીરાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતાબેન રીંડાણીના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નર્સરી શિશુના વિદ્યાર્થીઓએ સુંદર ગીત રજૂ કર્યું હતું. જ્યારે ધોરણ સાતના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ થી લઈ કંસના વધ સુધીનો નૃત્ય નાટિકા રજૂ કરી હતી, ધોરણ ચારના વિદ્યાર્થીઓ રાસ તેમજ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ સુંદર રાસલીલા અને ત્યારબાદ મટકી ફોડની કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 
Read the Next Article

અંકલેશ્વર: ભડકોદ્રા ગામના મુખ્ય માર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ, વાહનચાલકોમાં નાસભાગ

આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.

New Update
  • અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક

  • 2 આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ

  • ભડકોદ્રા ગામ નજીક બે આખલા બાખડયા

  • વાહનચાલકોમાં નાસભાગ

  • સ્થાનિકોએ પાણીનો છંટકાવ કર્યો

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તાર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે ત્યારે આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું. મુખ્ય માર્ગ પર જ બે આખલા બાખડતા વાહન ચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ આખલા પર પાણી છાંટી તેમને શાંત પાડ્યા હતા. અંકલેશ્વરમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક સામે આવે છે.રખડતા ઢોરના કારણે અનેક વખત અકસ્માત સહિતના પણ બનાવો બને છે ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ પુનઃ શરૂ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે